નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર બનાવવામાં આવેલી ફિલ્મ ‘પીએમ નરેન્દ્ર મોદી’ને લોકસભા ચૂંટણીપર રિલીઝ કરવાને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદ કોર્ટ અને ચૂંટણી પંચમાં પણ પહોંચ્યો હતો. જોકે, કોર્ટ તેમજ ચૂંટણી પંચ બંને એ આ ફિલ્મની રીલીઝને લઈને કોઈ વાંધો નથી તેમ જણાવતા ફરી આ ફિલ્મ ક્યારે રિલીઝ થશે તેને લઈને ચર્ચા શરુ થઇ ગઈ છે. તો તમને જણાવી દઈએ કે આ ફિલ્મ અગાઉ 5 એપ્રિલે રિલીઝ કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી. પરંતુ લોકસભાની ચૂંટણી પહેલાં, પીએમ નરેન્દ્ર મોદી ફિલ્મની રીલીઝને ટાળવામાં આવી છે. ફિલ્મમાં, વિવેક ઓબેરોય વડા પ્રધાન મોદીની ભૂમિકા ભજવે છે.
વરિષ્ઠ ફિલ્મ વિવેચક કોમલ નાહટાએ આજે પુષ્ટિ કરી હતી કે, આ ફિલ્મની રિલીઝ આગામી સપ્તાહે સ્થગિત થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ફિલ્મ રિલીઝની તારીખ સ્થગિત થઈ હતી. અગાઉ, આ ફિલ્મ 12 એપ્રિલના રોજ રિલીઝ થવાની હતી અને હવે એવું માનવામાં આવે છે કે આ ફિલ્મ 12 મી એપ્રિલે જ રિલીઝ થશે, 5 એપ્રિલે નહીં.
તમામ રાજકીય પક્ષોએ આ ફિલ્મ રિલીઝ પર વાંધો ઉઠાવ્યો છે. જોકે, દિલ્હી અને બોમ્બે હાઈ કોર્ટે ફિલ્મની રિલીઝને રોકવાની ના પાડી હતી. અહેવાલો અનુસાર, ચૂંટણી પંચે પણ ફિલ્મની રિલીઝને રોકવાની ના પાડી હતી. આ ફિલ્મ ઓમંગ કુમાર દ્વારા નિર્દેશિત છે
જો કે, ફિલ્મ રિલીઝની તારીખ જાહેર કરવામાં આવી નથી. નોંધનીય છે કે, કોંગ્રેસ, ડીએમકે અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ 2019 ની લોકસભાની ચૂંટણીઓના પરિણામો પહેલાં આ ફિલ્મની રિલીઝને લઈને ભારે વિરોધ કર્યો હતો. પક્ષોએ આક્ષેપ કર્યો છે કે, આ મતદાન અને મતદારોને અસર કરશે.