મુંબઈ : ટીવી એકત્ર અને સિંગર કરણ સિંહ ઓબેરોયની બળાત્કારના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. આ અભિનેતા પર કથિત રીતે એક મહિલા જ્યોતિષીએ લગ્નની લાલચ આપીને બળાત્કાર કર્યાની એફઆઈઆર નોંધાવી છે. મહિલાએ ફરિયાદમાં કહ્યું છે કે સૌ પ્રથમ, લગ્નની લાલચ આપવામાં આવી હતી અને તે પછી આરોપીએ બળાત્કારનો વિડીયો બનાવી બ્લેકમેલ કરી હતી. એટલું જ નહિ, તે વિડીયો બતાવીને મહિલા પાસેથી પૈસા માંગતો હતો. કરણ પર આ આક્ષેપોના સમાચાર વાંચ્યા પછી અભિનેત્રી પૂજા બેદીને આઘાત લાગ્યો છે અને તેણે ટ્વીટ કરી આ અંગે નારાજગી વ્યક્ત કરી છે.
પૂજા બેદીએ તેના ટ્વિટર એકાઉન્ટ પર એક અખબારના લેખને શેર કરતી વખતે લખ્યું હતું કે કેટલીક મહિલાઓ તેમના અધિકારોનો દુરુપયોગ કેવી રીતે કરે છે તે વિશે આ સમાચાર વાંચીને હું ખૂબ જ ચિંતિત છું. હું સમજી શક્તિ નથી કે કઈ રીતે લગ્નની લાલચ આપીને કોઈ કેવી રીતે બળાત્કાર કરી શકે છે.
Okay. We were given the right to put forward this. evidence in @IAmKaranOberoi case. Please watch the press conf… we have even read out her messages to him which CLEARLY SHOW ^rape extortion" etc was never committed. https://t.co/eeHgWEhGOL#isupportkaran#MenToo
— Pooja Bedi (@poojabeditweets) May 7, 2019
આ સાથે જ પૂજા અને કરણના બેન્ડ ઓફ બોયઝ ગ્રુપે મંગળવારે એક પત્રકાર પરિષદ પણ યોજી હતી. તેમાં કહેવામાં આવ્યું હતું કે, કરણ પર લાગેલા આરોપો ખોટા છે. આ આરોપ લગાવનાર મહિલા ખોટું બોલી રહી છે અને તેથી તેઓ કરણને સપોર્ટ કરવાની માંગ કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, કરણસિંહ ઓબેરોય ટીવી શો ‘જસ્સી જેસી કોઈ નહીં’થી ઘરમાં ઘરમાં જાણીતા બનાયા હતા. એક્ટિંગની સાથે જ કર્ણ એક સિંગર પણ છે અને તેનું વર્ષ 2000માં એક સિંગિંગ ગ્રુપ પણ હતું. કરણના ગ્રુપનું નામ ‘બેન્ડ ઓફ બોયઝ’ હતું. જેમાં સુધાંશુ પાંડે, શેરિન વારઘસે, સિદ્ધાર્થ હલ્દીપુર અને ચૈતન્ય ભોંસલેએ ઘણા ગીતો સાથે ગાયા હતા. થોડા વર્ષો પછી, તેઓ બધા અલગ થઈ ગયા. કરણની અભિનેત્રી મોનાસિંહને ડેટ કરી ચુક્યા છે. બંનેની સગાઇ પણ થઇ હતી, પરંતુ બાદમાં આ સંબંધ તૂટી ગયો હતો.