નવી દિલ્હી : ફિલ્મ નિર્માતા રામગોપાલ વર્માને તેલુગુ ફિલ્મ ‘લક્ષ્મીજ એનટીઆર’ના પ્રચાર કરવા માટે વિજયવાડામાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વર્માને શહેરની પોલીસે અટકાયત કરી કોઈપણ કારણ જણાવ્યા વગર હૈદરાબાદ મોકલી દીધા છે.
રામ ગોપાલ વર્માએ ટ્વિટ કરી લખ્યું કે, તમને જાણ કરતા દુઃખ થઇ રહ્યું છે કે સાંજે ચાર વાગ્યે થનારી પત્રકાર પરિષદને રદ્દ કરવામાં આવી છે. કારણ કે પોલીસ અમને અટકાવી અને વિજયવાડામાં મારા પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે અને મને બળજબરીથી હૈદરાબાદ મોકલ્યો છે. તેમણે પછી પૂછ્યું કે, ‘લોકશાહી ક્યાં છે?’ શા માટે સત્યને દબાવવામાં આવે છે?
‘લક્ષ્મીજ એનટીઆર’ એ તેલુગુ દેશમ પાર્ટીના સ્થાપક અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી એન.ટી. રામા રાવના જીવન પર આધારિત છે. ફિલ્મમાં, એન.ટી.આર.ના જમાઈ ચંદ્રબાબુ નાયડુએ ઓગસ્ટ 1995 માં પક્ષની અંદર બળવો કર્યો હતો તે ઘટનાઓનું ઉદાહરણ છે, જેના પછી એનટીઆરને મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું.
JAI TDP DEMOCRACY ??? pic.twitter.com/8LPFGQx3am
— Ram Gopal Varma (@RGVzoomin) April 28, 2019
11 મી એપ્રિલે યોજાયેલી સામાન્ય ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને, ચૂંટણી પંચ અને હાઈકોર્ટની મંજૂરી પછી, આ ફિલ્મ એક મેના રોજ આંધ્રપ્રદેશમાં રજૂ થવાની છે. દિગ્દર્શક રાકેશ રેડ્ડી અને અન્યો સાથેની ફિલ્મના પ્રમોશન માટે વર્માએ વિજયવાડામાં ચાર પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.