મુંબઈ : 19 જૂન શુક્રવારે, કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ પટનામાં સુશાંતસિંહ રાજપૂતના ઘરે ગયા અને તેમને પુષ્પાંજલિ અર્પણ કરી. કાયદા અને ન્યાય મંત્રી રવિશંકરે દિવંગત અભિનેતાના પિતા કે.કે.સિંહ અને પરિવારના અન્ય સભ્યો સાથે પટનાના રાજીવ નગર નિવાસસ્થાને મુલાકાત કરી. તેણે પરિવારને આશ્વાસન આપ્યું હતું.
રવિશંકરે રાષ્ટ્રપતિ ભવન ખાતે મે 2019 માં શપથ સમારોહ દરમિયાન સુશાંત સિંહ રાજપૂત સાથે થયેલી વ્યક્તિગત મુલાકાતને યાદ કરી હતી. પરિવારને મળ્યા બાદ તેણે ટ્વિટર એકાઉન્ટ પર બે તસવીરો શેર કરી અને તેના વિશે માહિતી આપી. પ્રથમ તસવીરમાં તે સુશાંત સિંહને શ્રદ્ધાંજલિ આપતા નજરે પડે છે, બીજી તસ્વીરમાં તે સુશાંત સિંહ રાજપૂતના પિતા કે.કે.સિંઘ સાથે વાત કરી રહ્યા છે. આ તસવીરો સાથે રવિશંકર પ્રસાદે અંતમાં અભિનેતાના મોત પર શોક પણ વ્યક્ત કર્યો હતો.
Visited Patna home of #SushantSinghRajput. Met his family members. Paid my condolences.
A super talented actor with great promise had to meet such an unfortunate end.Creative acting in films is left poorer with his sad demise.He had to achieve great heights.He deserved more. pic.twitter.com/JoZnFJ0sTN— Ravi Shankar Prasad (@rsprasad) June 19, 2020