મુંબઈ : ત્રિશૂર મેડિકલ કોલેજના વિદ્યાર્થી નવીન અને જાનકીના દ્વારા આ વીડિયો બે અઠવાડિયા પહેલા સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવ્યો હતો. જેને લોકોએ ખૂબ પસંદ કર્યો કે આ વિડિઓ ટૂંકા સમયમાં જ એકદમ વાયરલ થઈ ગયો. વીડિયોમાં બંનેના ડાન્સની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. પરંતુ તાજેતરમાં હાઈકોર્ટના એડવોકેટ આર કૃષ્ણરાજે આ વીડિયો પર એવી ટિપ્પણી કરી હતી, ત્યારબાદ વીડિયો વિવાદોમાં ઘેરાય ગયો હતો.
વીડિયો પર આર કૃષ્ણરાજની ટિપ્પણી
ખરેખર, આર કૃષ્ણરાજએ આ વીડિયો વિશે એક પોસ્ટ તેના સોશિયલ મીડિયા પર મૂક્યો હતો અને લખ્યું છે કે ત્રિશૂર મેડિકલ કોલેજના વિદ્યાર્થી જાનકી અને નવીનનો ડાન્સ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તે ખૂબ જ ખોટું છે. તે બંને જુદા જુદા ધર્મોના લોકો છે. તો જાનકીના માતા-પિતાએ આ બાબતે સાવચેતી રાખવી જોઈએ. આ સાથે, નિમિષા એટલે કે ફાતિમાનો ઉલ્લેખ કરીને કે જેમણે હિન્દૂ ધર્મ છોડીને ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો હતો, તેમણે કહ્યું કે આ મામલાને ધ્યાનમાં રાખીને, યુવતીના માતાપિતાએ સમય જતા સાવધ રહેવું જોઈએ અને આપણે બધાએ જાનકીના પિતા ઓમકાર અને તેની પત્ની માટે પ્રાર્થના કરવી જોઈએ.
આર કૃષ્ણરાજની ટિપ્પણી દ્વારા ઉભો થયો વિવાદ
આર.કૃષ્ણરાજની આ ટિપ્પણી પછી જાણે સોશિયલ મીડિયા પરની ટિપ્પણી ગુંજી ઉઠી છે. બધાએ તેના નિવેદનની ટીકા કરવાનું શરૂ કર્યું અને તેમની વિરુદ્ધ, #Danceisnotjihad અને #resisthate ના હેશ ટેગ્સ લોંચ કરાયા હતા. ઘણા વપરાશકર્તાઓએ ‘જો ઇરાદો ધિક્કારવાનો છે, તો તમારે વિરોધ કરવો પડશે’ એવું સૂત્ર પણ લખ્યું હતું. તે જ સમયે, લોકો આ વિદ્યાર્થીઓને પણ સંપૂર્ણ સમર્થન આપી રહ્યા છે. ઘણા વિદ્યાર્થીઓ તેમના સમર્થનમાં ડાન્સ વીડિયો પણ બનાવી રહ્યા છે.