સતત વિવાદોમાં ઘેરાયેલી અને ચર્ચામાં રહેલી સંજય લીલા ભણસાળીની ફિલ્મ પદ્માવતે તેના પ્રશંસકોને ખુબ જ રાહ જોવડાવ્યા બાદ ફિલ્મ પદ્માવત સમગ્ર દેશમાં થશે રિલીઝ. અા ફિલ્મને સુપ્રીમ કોર્ટ તરફથી લીલી ઝંડી મળી ગઈ છે. સુપ્રીમ કોર્ટે ચાર રાજ્યોએ ફિલ્મ પદ્માવત પર મૂકેલો પ્રતિબંધ દૂર કરી દીધો છે. હવે ફિલ્મ તમામ રાજ્યોમાં રિલીઝ થશે. સુપ્રીમ કોર્ટે ગુરુવારે રાજસ્થાન, હરિયાણા, ગુજરાત અને મહારાષ્ટ્રમાં ફિલ્મ પદ્માવત પર લગાવવામાં આવેલ પ્રતિબંધને પરત ખેંચવા માટે નિર્માતા દ્ધારા દાખલ કરવામાં આવેલ અરજી પર સુનાવણી કરી છે.વિવાદોમાં ઘેરાયા બાદ અંતે શાહિદ કપૂર, દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની ફિલ્મ ‘પદ્માવત’ થિયેટરમાં રીલીઝ થવા માટે તૈયાર છે.
ફિલ્મના નિર્માતાઓએ પદ્માવતનું નવું પોસ્ટર રીલીઝ કરી તેની સત્તાવાર જાહેરાત કરી દીધી છે કે, તેમની ફિલ્મ ૨૫ જાન્યુઆરીએ રિલીઝ થશે. તે જાહેરાતની સાથે-સાથે નિર્માતાઓએ ફિલ્મને લઈને એક અન્ય મોટું એલાન પણ કરી દીધું છે. હકીકતમાં પદ્માવતએ પ્રથમ ભારતીય ફિલ્મ હશે જેને દુનિયાભરમાં આઈમેક્સ ૩ડીમાં રીલીઝ થશે. આ મહિનાની શરૂઆતમાં જ સેન્સર બોર્ડની એક ખાસ પેનલે પદ્માવતનો રીવ્યુ કરી તેને રિલીઝ કરવાની મંજૂરી આપી હતી. જો કે, સેન્સર બોર્ડે નિર્માતાઓને ફિલ્મમાં ૫ ફેરફાર કરવાની સલાહ પણ આપી હતી.
આ ફિલ્મ ‘પદ્માવતી’ નામથી 1 ડિસેમ્બરે રિલીઝ થવાની હતી પરંતુ કરણી સેના સહિત ઘણા રાજકીય દળો દ્ધારા વિરોધ પ્રદર્શન પછી આ ફિલ્મની રિલીઝ ડેટ આગળ વધારવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી મુજબ, ફિલ્મની રિલીઝ ડેટ હવે જાહેર કરી દેવામાં આવી છે. આ ફિલ્મ ૨૫ જાન્યુઆરીએ રિલીઝ થવાની છે.
Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.