મુંબઈ : ત્રણ મહિના સંપૂર્ણ રીતે બંધ રહ્યા બાદ સરકારે ટીવી શોના નિર્માતાઓને શૂટિંગ શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે. જોકે શૂટિંગ માટે કડક માર્ગદર્શિકા નિર્ધારિત કરવામાં આવી છે. ક્રૂના બધા સભ્યોએ તેનું પાલન કરવું પડશે. નિયમોને પગલે કેટલાક ટીવી શોનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. નવા પ્રોમો પણ બહાર પાડવામાં આવ્યા છે.
એક મહાનાયક – ડો.બી.આર. આંબેડકરનો એક્ટર કોરોના પોઝિટિવ
બધા નિયમોનું પાલન કરવા છતાં, શો ‘એક મહાનાયક – ડો.બી.આર. આંબેડકર’નું શૂટિંગ બંધ કરવું પડ્યું. શોના અભિનેતા જગન્નાથ નિવાંગુને કોરોના વાયરસ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. આને કારણે આ શોનું શૂટિંગ 3 દિવસ માટે રોકી દેવામાં આવ્યું છે. આ શોમાં જગન્નાથ નિવાંગુણે ડો.બી.આર. આંબેડકરના પિતાની ભૂમિકામાં છે.
આઈડબ્લ્યુએમબઝના અહેવાલ મુજબ, પ્રોડક્શન હાઉસે એક નિવેદન બહાર પાડતાં કહ્યું હતું કે તેઓ અભિનેતાના સંપર્કમાં આવેલા તમામ ક્રૂ સભ્યોને શોધી રહ્યા છે અને તેમને તબીબી સુવિધાઓ પૂરી પાડવા પ્રયાસ કરી રહ્યા છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “મહારાષ્ટ્ર સરકારે આપેલા માર્ગદર્શિકા મુજબ સ્વચ્છતા, સેનિટાઇઝેશન જેવા મહત્વના પાસાઓને ધ્યાનમાં રાખીને અમારા તમામ સેટ્સ પર જરૂરી સાવચેતી રાખવામાં આવી હતી. જો કે, અમારા ક્રૂનો એક સભ્ય કોરોના પોઝિટિવ છે તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. અમે સંબંધિત સભ્યને તાત્કાલિક સારવાર અને સંભાળ માટે સીધા તબીબી સત્તાવાળાઓને મોકલી દીધા છે. અભિનેતાનો સીધો સંપર્ક હોઈ શકે તેવા લોકોની શોધખોળ કરવાની તૈયારીમાં છીએ. સભ્યો અને કર્મચારીઓ તબીબી સુવિધા અને સેલ્ફ આઇસોલેશન માટે કહી રહ્યા છીએ. સેટ પર તમામ સાવચેતી લેવામાં આવી રહી છે અને સરકારની માર્ગદર્શિકા મુજબ આ સેટને 3 દિવસ માટે બંધ કરવામાં આવ્યો છે અને સંપૂર્ણ રીતે સૅનેટાઇઝ કરવામાં આવી રહ્યો છે.”