મુંબઈ : શ્રુતિ મોદીના વકીલે સુશાંત સિંહ રાજપૂત કેસમાં મોટો ખુલાસો કર્યો છે. સુશાંતની ડ્રગ્સ એંગલ અંગે તેણે પોતાના દાવા કર્યા છે. શ્રુતિ મોદીના વકીલ અશોક સરોગીએ કહ્યું કે, મુંબઈના ધારાસભ્ય રામ કદમે ઈમ્તિયાઝ ખત્રીનું નામ લીધું છે. મેં એક બાંદ્રાના ખત્રી વિશે તપાસ કરી છે. જો તે જ ખત્રી છે તો તે મોટો શોટ બની શકે છે અને બોલિવૂડ સાથે તેમનો સારો સંબંધ હોઈ શકે છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, આ વ્યક્તિ તે જ ખત્રી પરિવારનો છે, જેનું નામ મહારાષ્ટ્રના સિંચાઇ કૌભાંડમાં આવ્યું છે. સીબીઆઈએ આ મામલાની તપાસ કરવી જોઈએ કે આ કેસમાં કોણ સંડોવાયેલ છે. હું આ મામલે મુંબઈ પોલીસને દોષી ઠેરવી શકતો નથી. પરંતુ મને કહેવામાં આવ્યું છે કે ઇમ્તિયાઝ ખત્રીને તપાસ માટે બાંદ્રા પોલીસ સ્ટેશન બોલાવાયા હતા, પરંતુ તેનો કોઈ રેકોર્ડ રાખવામાં આવ્યો નથી.
ડ્રગ્સ માટે એક ગ્રુપ હતું જેમાં સુશાંત શામેલ હતો
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, એનસીબી હવે પેડલરોની ધરપકડ કરી રહી છે. તે અંતમાં યોગ્ય હોઈ શકે છે, પરંતુ ઓછામાં ઓછું તે આવું છે. જણાવી દઈએ કે પાંચ દિવસ પહેલા ભાજપના ધારાસભ્યએ દાવો કર્યો હતો કે મહારાષ્ટ્ર સરકાર ઇમ્તિયાઝ ખત્રીને બચાવી રહી છે.
મહત્વનું છે કે, ડ્રગ્સ માટે એક વોટ્સએપ ગ્રુપ પણ બનાવવામાં આવ્યું હતું અને આ ગ્રુપમાં શ્રુતિ મોદી અને સુશાંત બંનેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ગ્રુપમાં ડ્રગ્સની ચર્ચા કરવામાં આવી હતી. સુશાંતનો ડ્રાઇવર સુહેલ ડ્રગ્સ લાવતો હતો. આમાં બાંદ્રાના મિત્રનું નામ પણ બહાર આવ્યું હતું. અશોક સરોગીના મતે, આ મિત્ર ફિલ્મ નિર્માતા અને ઉદ્યોગપતિ ઇમ્તિયાઝ ખત્રી હોઈ શકે છે જે સુશાંત સાથે 2017 માં પાર્ટીમાં પણ જોવા મળ્યો હતો.