મુંબઈઃ કોરોના વાયરસે દેશ અને દુનિયાને ફરીવાર હચમાવી દીધું છે. ત્યારે કોરોના હવે બોલીવૂડ તરફ વળ્યો છે એક પછી એક મોટી સેલિબ્રિટીઓને પોતાની ઝપેટમાં લઈ રહ્યો છે. કોરોનાના કારણે અનેક ફિલ્મોની શૂટિંગ ઉપર અસર થઈ રહી છે. ત્યારે અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાની પણ ચાલુ શૂટિંગ દરમિયાન તબિયત બગડતા શૂટિંગ છોડીને મુંબઈ આવી ગયો હતો.
સિદ્ધાર્થ છેલ્લા કેટલાક અઠવાડિયાઓતી લખનૌની આસપાસના સ્થળોએ ફિલ્મ મિશન મજનૂનું શૂટિંગ કરી રહ્યો હતો. ફિલ્મના સેટ પરના લોકોએ જણાવ્યું હતું, શૂટિંગ દરમિયાન સિદ્ધાર્થની તબિયત ખરાબ થઇ ગઇ હતી. આ પછી તેણે પોતાનો કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો. અને એનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.
આમ છતાં સિદ્ધાર્થ ફિલ્મની શૂટિંગ અધવચ્ચે છોડીને મુંબઇ પાછો જતો રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગંગુબાઇ કાઠિયાવાડી ફિલ્મના ડાયરેકટર સંજય લીલા ભણશાલીને કોરોના પોઝિટિવ થયો હોવા છતાં પણ તેમની ફિલ્મનું શૂટિંગ અટક્યું નહોતું.
સેટ પરની પ્રોડકશન ટીમે પણ સિદ્ધાર્થ ફિલ્મનું શૂટિંગ અધવચ્ચે છોડીને મુંબઇ આવી ગયો હોવાની વાતને સમર્થન આપ્યું છે. તેમમએ કહ્યું હતું કે, સિદ્ધાર્થની તબિયત ખરાબ હોવાથી તે ફિલ્મનું શૂટિંગ છોડીને મુંબઇ જતો રહ્યો છે. જોકે તેની કોવિડ-19 ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. હાલ તેના વગર ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. લખનૌમાં સિદ્ધાર્થનું હજી આઠ-દસ દિવસનું શૂટિંગ બાકી છે.