મુંબઈ : અભિનેતા સિદ્ધાર્થ શુક્લાએ સોશિયલ મીડિયા પર એક નવો ટ્રેન્ડ શરૂ કર્યો છે. જ્યારે દરેક સોશિયલ મીડિયા પર તેમના નવા ફોટા અને વીડિયો શેર કરી રહ્યાં છે, ત્યારે સિદ્ધાર્થ શુક્લા ચાહકોમાં પ્રેરણાદાયી સંદેશા શેર કરી રહ્યો છે. લોકડાઉનની વચ્ચે સિદ્ધાર્થે સતત ચાહકોના મનોબળને વેગ આપ્યો છે. હવે ફરી એક વખત સિદ્ધાર્થનો મેસેજ વાયરલ થયો છે.
ચાહકોને સિદ્ધાર્થનો સંદેશ
સિદ્ધાર્થ શુક્લાએ સોશિયલ મીડિયા પર પોતાની એક પોસ્ટ દ્વારા ચાહકોમાં વિશ્વાસ વધાર્યો છે. તેણે ટ્વિટ કરીને દરેકને પોતાના પર વિશ્વાસ રાખવા જણાવ્યું છે. સિદ્ધાર્થએ ટ્વિટ્માં લખ્યું છે- જેમ હું મારી જાતને જોઉં છું, જેમ હું મારી જાત વિશે વિચારીશ, તેમ હું મારી જાત સાથે વર્તીશ, તેવો હું બનીશ. હવે આ ટ્વિટ દ્વારા સિદ્ધાર્થ શુક્લાએ એક મોટી વાત કહી છે. તેઓએ એમ કહેવાનો પ્રયત્ન કર્યો છે કે તેઓએ ક્યારેય બીજાની નજરથી ન જોવું જોઈએ. હંમેશાં તમારામાં વિશ્વાસ કરવો મહત્વપૂર્ણ છે.
https://twitter.com/sidharth_shukla/status/1278621068148772864