બિગ બોસ 13 વિજેતા સિદ્ધાર્થ શુક્લાનું ગુરુવારે હાર્ટ એટેકથી નિધન થયું. તે માત્ર 40 વર્ષનો હતો અને તેની કારકિર્દીમાં ઘણું નામ કમાવ્યું હતું. કૂપર હોસ્પિટલના ડોક્ટરના જણાવ્યા અનુસાર, જ્યારે સિદ્ધાર્થને હોસ્પિટલમાં લાવવામાં આવ્યો ત્યારે તેનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે સિદ્ધાર્થ શુક્લાએ રાત્રે સૂતા પહેલા દવા લીધી હતી. સવારે સિદ્ધાર્થે છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી. તેના પર તેની માતાએ પાણી પીવડાવ્યા બાદ તેને સુવાડી દીધો હતો. પણ તેમને શું ખબર હતી કે સિદ્ધાર્થ ની સવાર થશેજ નહીં.
અભિનેતાના ટ્રેનરે જણાવ્યું હતું કે થોડા દિવસ પહેલા સિદ્ધાર્થની તબિયત સારી નહોતી, જેના કારણે તે સારી કસરત કરી શકતો ન હતો. સિદ્ધાર્થના ટ્રેનરે એક ખાનગી ન્યૂઝ ચેનલને જણાવ્યું કે તે માત્ર બે કલાક વર્કઆઉટ કરતો હતો, પરંતુ બ્રેક અને આરામની કરતા કરતા ત્રણથી ચાર કલાક થઇ જતા હતા. સિદ્ધાર્થ માત્ર મારો ક્લાયન્ટ જ નહોતો પણ અમારી ગાઢ મિત્રતા પણ હતી.
તેમણે કહ્યું કે અભિનેતાઓ હંમેશા તેમના અનુભવો શેર કરતા હતા. મેં એક મિત્ર થી પણ વધુ કરતાં ભાઈનો દરજ્જો આપ્યો હતો, અમે બંને એક અલગ પ્રકારનું બોન્ડિંગ શેર કરતા હતા. ટ્રેનર કહે છે, ‘મારી છેલ્લી મુલાકાત મારા જન્મદિવસ પર 24 ઓગસ્ટ ના દિવસે થઇ હતી. આ દિવસે તે જીમમાં આવયા, મને શુભેચ્છા પાઠવી અને ટ્રેનિંગ કરી અને ચાલ્યા ગયા. હું શૂટિંગ માટે 25 મીએ ભોપાલ જઈ રહ્યો હતો. અમારી વર્કઆઉટ 24 મી ઓગસ્ટ છેલ્લી વર્કઆઉટ હતી. મેં તેમને કહ્યું કે હું 30 મીએ પાછો આવીશ, ત્યારે સિદ્ધાર્થે કહ્યું, હું તારા આસિસ્ટન્ટ ની મદદથી વર્કઆઉટ કરી લઈશ.
તેમને જણાવ્યું કે,આ પછી સિદ્ધાર્થ 25 ની સવારે જીમમાં આવયા, પણ પછી હું ત્યાં ન હતો. પરંતુ તે દિવસે તેણે માત્ર 20 મિનિટ જ એક્સરસાઈઝ કરી. તેમણે એમ કહીને છોડી દીધું કે મારી તબિયત સારી નથી અને મને સારું નથી લાગતું. એમ પણ કહ્યું કે જો સોનુ આવશે તો હું તેની સાથે કરીશ. તે માત્ર 25 તારીખે છેલ્લી વખત મારા જીમમાં આવ્યો હતો.
મુંબઈ પોલીસના સૂત્રોએ જણાવ્યું કે, અભિનેતા સિદ્ધાર્થ શુક્લાના શરીર પર કોઈ ઈજા થઈ નથી. સિદ્ધાર્થ શુક્લાના પરિવારે મુંબઈ પોલીસને જણાવ્યું છે કે તેમના મૃત્યુમાં કોઈ ષડયંત્ર નથી. તેઓ નથી ઇચ્છતા કે અભિનેતાના મૃત્યુ અંગે અફવાઓ ફેલાય. બોલિવૂડ સુપરસ્ટાર અને બિગ બોસના હોસ્ટ સલમાન ખાને પણ સોશિયલ મીડિયા પર સિદ્ધાર્થ શુક્લાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.