દેશભરમાં ગણપતિ વિસર્જનની ઉજવણી કરવામાં આવી રહી છે. ગણેશ ચતુર્થીના દિવસે સામાન્ય લોકોથી લઈને સેલેબ્સ પણ ગણપતિ બાપ્પાનું તેમના ઘરે સ્વાગત કરે છે. શ્રધ્ધા અનુસાર લોકો બે દિવસ, ત્રણ કે પાંચ દિવસ સેવા કર્યા બાદ બાપ્પાને આવતા વર્ષે પરત ફરવાની ઈચ્છા સાથે વિદાય આપતા હોય છે. આ ક્રમમાં અભિનેતા સોનુ સૂદે પણ પરિવાર સાથે વિઘ્નહર્તાનું સંપૂર્ણ વિધી સાથે વિસર્જન કર્યું હતું.
સોનુ સૂદે પણ ગણેશ ચતુર્થીના દિવસે પોતાના ઘરે બાપ્પાની સ્થાપના કરી હતી, હવે પાંચ દિવસની સેવા બાદ તેણે બાપ્પાને સંપૂર્ણ વિધિ સાથે વિદાય આપી. અભિનેતાએ પહેલા તેની પત્ની અને પુત્ર સાથે ગણપતિ બાપ્પાની પૂજા કરી અને ત્યારબાદ તેણે પુત્ર સાથે ગણપતિજીનું વિસર્જન કર્યું.
કોરોના મહામારીમાં લોકડાઉન બાદ સોનુ સૂદ લોકોના મોટા મદદગાર તરીકે ઉભરી આવ્યા છે. તેણે માત્ર પડદા પર જ નહીં પણ રિયલ લાઈફમાં પણ પોતાને હીરો તરીકે સાબિત કર્યા છે. તે હજુ પણ દેશના વિવિધ રાજ્યો, શહેરો અને ગામડાઓમાંથી લોકોને સતત મદદ કરી રહ્યા છે. અભિનેતાને દેશભરમાં ઘણો પ્રેમ આપવામાં આવે છે અને નિમજ્જન દરમિયાન પણ ભારે ભીડ હતી.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સોનુ સૂદ થોડા સમય પહેલા ફિલ્મ પૃથ્વીરાજમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મે ભલે બોક્સ ઓફિસ પર સારો દેખાવ ન કર્યો હોય પરંતુ ચાંદબરદાઈના પાત્રમાં સોનુ સૂદના અભિનયની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. રિયલ લાઈફમાં લોકો સોનુ સૂદના ફેન છે પરંતુ તે સ્ક્રીન પર સકારાત્મક કરતાં નેગેટિવ પાત્રોમાં વધુ હિટ છે.