મુંબઈ: કોરોના વાયરસ રોગચાળાને કારણે લોકડાઉનને કારણે સોનુ સૂદ હજી પણ દેશમાં ફસાયેલા પરપ્રાંતિય મજૂરો અને કામદારોને મદદ કરી રહ્યો છે. પરપ્રાંતિય મજૂરોને તેમના ઘરે સુરક્ષિત રીતે પહોંચવામાં મદદ કરનાર સોનુ સૂદ ટૂંક સમયમાં તેના તમામ અનુભવો પર એક પુસ્તક લખવા જઈ રહ્યો છે. સોનુ સૂદે ખુદ જાણીતા મીડિયા સાથે વાત કરતાં આ માહિતી આપી હતી.
નોંધનીય છે કે, પેંગ્વિન રેન્ડમ હાઉસ ઇન્ડિયા દ્વારા પ્રકાશિત થનારા આ પુસ્તકમાં સોનુ સૂદ તેમના બાળપણથી આજ સુધીની યાત્રા પર વિગતવાર લખશે અને પરપ્રાંતિય મજૂરોને ઘરે મોકલવાના તેમના અનુભવો વિશે ખાસ પ્રકાશ પાડશે.
આ પુસ્તક વિશે વાત કરતાં સોનુ સૂદે જણાવ્યું હતું કે, ‘આ પુસ્તકમાં પંજાબથી મુંબઇ સુધીની મારી સફર, અહીં આવ્યા પછી મારે કઇ મુશ્કેલીઓમાંથી પસાર થવું પડ્યું, ક્યા – ક્યા લોકો મળ્યા. અભિનેતા બનવા માટે મેં કેવા પ્રકારનાં સંઘર્ષ કર્યા હતા, અને જીયા, દક્ષિણ ભારતીય ફિલ્મોમાં પ્રવેશ વગેરે જેવા તમામ પાસાઓ વર્ણવવામાં આવશે. “