મુંબઈ : અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના આપઘાત કેસમાં મુંબઈ પોલીસની કાર્યવાહીએ જોર પકડ્યું છે. ટૂંક સમયમાં પોલીસે ઘણા મોટા લોકોની પૂછપરછ કરીને આ મામલો ઝડપથી હલ કરવાનો પ્રયાસ કર્યો છે. હવે અહેવાલ છે કે સુશાંત સિંહ રાજપૂત કેસ સંદર્ભે યશ રાજ ફિલ્મ્સ (વાયઆરએફ)ના વડા આદિત્ય ચોપરાની પૂછપરછ કરવામાં આવી છે.
પોલીસે આદિત્ય ચોપરાની પૂછપરછ કરી
મળતી માહિતી મુજબ 18 જુલાઈ, શનિવારે સવારે મુંબઈ પોલીસે વર્સોવા સ્ટેશન પર આદિત્ય ચોપરાનું નિવેદન નોંધ્યું હતું. પોલીસે આદિત્યની ચાર કલાક પૂછપરછ કરી છે. પોલીસે કયા સવાલો પૂછ્યા છે, આદિત્યએ શું કહ્યું છે તે અંગે કોઈ ઔપચારિક નિવેદન આપવામાં આવ્યું નથી. પરંતુ તે કોઈથી છુપાયેલ નથી કે સુશાંત આત્મહત્યા કેસમાં યશ રાજ ફિલ્મ્સનો એંગલ ખૂબ મહત્વનો છે. પોલીસે અનેક વખત સમજવાનો પ્રયત્ન કર્યો છે કે સુશાંતને વાયઆરએફ સાથે શું કરાર થયો હતો. હવે આ સમજવા માટે આદિત્ય ચોપરાનીપૂછપરછ કરવામાં આવી હતી.
જોકે, થોડા સમય પહેલા રિયા ચક્રવર્તીએ કહ્યું હતું કે, સુશાંતે પોતે જ વાયઆરએફ સાથેનો કરાર પૂરો કર્યો હતો, સાથે જ તેણે રિયાને પણ આવું કરવા કહ્યું હતું. પોલીસે રિયાનું તે નિવેદન પણ નોંધ્યું હતું. આવી સ્થિતિમાં પોલીસે આ મામલે આદિત્યની પૂછપરછ કરી છે કે કેમ તે જોવું રહ્યું.