મુંબઈ : સુશાંત સિંહ રાજપૂતે 14 જૂને પોતાના મુંબઈના ઘરે ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. સુશાંતના મોતથી બધા જ ચોંકી ગયા છે. સુશાંતની વિદાયને કારણે દેશમાં ફરી એક વખત નેપોટિઝ્મ (ભત્રીજાવાદ), ફૅવરિઝમ અને બુલિંગની ચર્ચા શરૂ થઈ છે. દરેક જણ જાણવા માંગે છે કે સુશાંતે આત્મહત્યા જેવા પગલા કેમ લીધા. આ માટે ઘણા રાજકારણીઓ અને સ્ટાર્સ સુશાંત સુસાઇડ કેસમાં સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યા છે.
ગૃહ મંત્રાલયે પપ્પુ યાદવને એક પત્ર મોકલ્યો છે
હવે ગૃહ મંત્રાલયે પપ્પુ યાદવને એક પત્ર મોકલ્યો છે. પપ્પુ યાદવે સોશિયલ મીડિયા પર આ વાત શેર કરી છે. પત્રમાં લખેલું છે- પપ્પુ યાદવ જી, તમારો પત્ર 16 જૂને મળ્યો હતો, જેના દ્વારા તમે યુવા ફિલ્મ અભિનેતા સ્વર્ગસ્થ સુશાંત રાજપૂતની આત્મહત્યાના કેસની તપાસ માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ને વિનંતી કરી છે. તમારા પત્રનો વિષય કર્મચારી અને તાલીમ વિભાગને લગતો છે, તેથી જરૂરી કાર્યવાહી માટે પત્ર સંબંધિત મંત્રાલયને મોકલવામાં આવી રહ્યો છે.
अमित शाह जी आप चाहें तो एक मिनट में सुशांत मामले की CBI जांच हो सकती है। इसे टालें नहीं!
बिहार के गौरव फ़िल्म अभिनेता सुशांत सिंह राजपूत जी की संदिग्ध मृत्यु की CBI जांच के लिए केंद्रीय गृह मंत्री जी को पत्र लिख आग्रह किया था।
उन्होंने कार्रवाई के लिए पत्र अग्रसारित कर दिया है। pic.twitter.com/MWsFBFNN8p
— Pappu Yadav (@pappuyadavjapl) July 14, 2020
આ શેર કરતી વખતે પપ્પુ યાદવે લખ્યું – અમિત શાહ જી, જો તમે ઇચ્છતા હો તો એક મિનિટમાં સુશાંત કેસમાં સીબીઆઈની તપાસ થઈ શકે છે. તેને ટાળો નહીં. બિહારના ગૌરવ ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતજીની શંકાસ્પદ મોતની સીબીઆઈ તપાસ માટે કેન્દ્રીય ગૃહ પ્રધાનને એક પત્ર લખી આગ્રહ કર્યો હતો. તેમણે કાર્યવાહી માટે પત્ર આગળ મોકલ્યો છે.