મુંબઈ : સુશાંતસિંહ રાજપૂતનાં મોતનું કારણ શું છે? શું તેણે પોતે જ પોતાનો જીવ લઈ લીધો કે પછી તેની હત્યા કરવામાં આવી છે, આ રહસ્ય હજુ બહાર આવ્યુ નથી. જો કે, આ સમયગાળા દરમિયાન, સુશાંતની સારવાર કરનાર ડોક્ટર સુઝાન વોકરનું નિવેદન મુંબઈ પોલીસ સમક્ષ આવ્યું છે, જે સુશાંતના મૃત્યુ પહેલાં તેની માનસિક સ્થિતિ વિશે ડોક્ટરનું અનુમાન જણાવે છે.
સુશાંત સિંહ રાજપૂતની સારવાર કરતા ડોક્ટર સુઝાન વોકરનું નિવેદન, જે તેમણે મુંબઈ પોલીસને આપ્યું હતું. જાણીતા મીડિયા પાસે 59 વર્ષીય ડોક્ટર સુઝાનનું નિવેદન છે જે તેણે 16 જુલાઈએ મુંબઇ પોલીસને આપ્યું હતું.
સુશાંતના આવવા લાગ્યા હતા આત્મહત્યાના વિચાર
સુશાંત સિંહ રાજપૂતની તબિયત ઓક્ટોબરથી નવેમ્બરની વચ્ચે ગંભીર રીતે બગડી હતી. રિયાએ કહ્યું હતું કે, સુશાંતને આત્મહત્યા કરવાનો વિચાર આવતા હતા. જો આપણે 1 થી 10 માં સુશાંતની તબિયતની વાત કરીએ, તો તે 9 થી 10 ની આસપાસ પહોંચી ગઈ હતી. સુશાંતે ડોક્ટર વોકરને કહ્યું હતું કે તે બાળપણમાં શરમાળ હતો, તેથી તેણે ખૂબ સામનો કરવો પડ્યો.