મુંબઈ : બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતને આ દુનિયાથી વિદાય થયાને ત્રણ મહિનાથી વધુનો સમય થઈ ગયો છે, પરંતુ દેશની ત્રણ સૌથી મોટી તપાસ એજન્સીઓ હજી સુધી આ પ્રશ્નના જવાબ શોધી શક્યા નથી કે અભિનેતાએ આત્મહત્યા કરી છે કે તેની હત્યા થઇ છે. સુશાંતના પરિવારના એડવોકેટ વિકાસસિંહે તપાસ અને ન્યાય મેળવવામાં વિલંબ થઇ રહ્યો છે તેને લઈને નારાજગી વ્યક્ત કરી છે.
એડ્વોકેટ વિકાસસિંહે ટ્વિટ કર્યું હતું કે, સીબીઆઈ દ્વારા સુશાંત મામલાને આત્મહત્યા માટે ઉશ્કેરવાને હવે હત્યા તરફ દોર્યા બાદ થઇ રહેલા વિલંબને લઈને હવે ફ્રસ્ટેશન થઇ રહ્યું છે. એમ્સની ટીમમાં ભાગ લેનાર ડોક્ટરએ મને કહ્યું કે મેં તેમને જે તસવીરો મોકલી છે તે મને કહે છે કે આ 200 ટકા ગળુ દબાવવાનો મામલો છે, આત્મહત્યાનો નથી. ”
Getting frustrated by the delay in CBI taking a decision to convert abetment to suicide to Murder of SSR. The Doctor who is part of AIIMS team had told me long back that the photos sent by me indicated 200% that it’s death by strangulation and not suicide.
— Vikas Singh (@vikassinghSrAdv) September 25, 2020
AIIMSની સફાઇ
બીજી તરફ, એઈમ્સ (AIIMS)ના ફોરેન્સિક ચીફ સુધીર ગુપ્તાએ મીડિયા સાથે ખાસ વાતચીતમાં વિકાસસિંહના નિવેદન પર કહ્યું, “હાલ તપાસ ચાલી રહી છે. તે જે બોલી રહ્યો છે તે બરાબર નથી. અમે ફક્ત ગળા પરના ડાઘ અને ગુનાના સ્થળને જોઈને તે હત્યા છે કે આત્મહત્યા છે તે નિષ્કર્ષ પર પહોંચી શકતા નથી તે અંગે વધુ તપાસ કરવાની જરૂર પડે છે જે ચાલે છે અને હજી સુધી કોઈ પરિણામ આવ્યું નથી.
સુશાંતનો જીવ ક્યારે ગયો ?
14 જૂન, 2020ના રોજ સુશાંતસિંહ રાજપૂતનો મૃતદેહ તેના મુંબઈના ફ્લેટમાં એક પંખા સાથે લટકતો હોવાનું જાણવા મળ્યું હતું. આ મામલો અગાઉ મુંબઈ પોલીસ પાસે હતો, પરંતુ સુશાંતના પિતાએ બિહારમાં એફઆઈઆર નોંધાવ્યા પછી તેમાં નાટકીય વળાંક આવ્યો. સુશાંતના પિતા કે.કે.સિંહે એક્ટ્રેસ રિયા ચક્રવર્તી પર ગંભીર આક્ષેપો કર્યા હતા. જે બાદ આ કેસ સીબીઆઈના હાથમાં આવ્યો હતો. જે હાલ તાપસ કરી રહી છે.