મુંબઈ : સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યાની તપાસ હજી ચાલુ છે. બાંદ્રા પોલીસ દરેક એંગલથી કેસની તપાસમાં લાગી છે. દરમિયાન સમાચાર છે કે પોલીસે પ્રખ્યાત ફિલ્મ વિવેચક રાજીવ મસંદને પૂછપરછ માટે બોલાવ્યા છે.
રાજીવ મસંદને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા
ફિલ્મ વિવેચક રાજીવ મસંદને સુશાંત રાજપૂત કેસમાં પૂછપરછ માટે 21 જુલાઈએ પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રાજીવ મસંદે સુશાંત વિશે ઘણા નકારાત્મક લેખ લખ્યાં હતાં. ઉપરાંત, સુશાંતની ફિલ્મને નેગેટિવ રેટિંગ આપવામાં આવ્યું હતું. એવા અહેવાલો છે કે રાજીવે કેટલાક લોકોના કહેવા પર સુશાંતની ફિલ્મોને નેગેટિવ રેટીંગ આપ્યું હતું. આ સંદર્ભમાં રાજીવ મસંદને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. આ તમામ આક્ષેપો કેટલા સાચા છે તે તેમની પૂછપરછમાં જાણવા મળશે.
આ કેસમાં હજી સુધી ઘણા ઉચ્ચ પ્રોફાઇલ લોકોની પૂછપરછ કરવામાં આવી છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે સુશાંતે આત્મહત્યા જેવા મોટા પગલા કેમ લીધા તે પોલીસને ટૂંક સમયમાં ખબર પડી જશે. બીજી તરફ, સોશિયલ મીડિયા પર સુશાંત સિંહ રાજપૂતના કેસની સીબીઆઈ તપાસની માંગ જોરમાં છે. સુશાંતના ચાહકો સિવાય ઘણા બોલિવૂડ સેલેબ્સે આ મામલાની સીબીઆઈ તપાસની માંગ કરી છે.