મુંબઈ : બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યાના કેસમાં પોલીસ સતત પૂછપરછ કરી રહી છે. આ જ ક્રમમાં હવે પોલીસ ટૂંક સમયમાં કંગના રનૌતની પૂછપરછ કરશે. તમને જણાવી દઇએ કે આ અગાઉ 3 જુલાઇના રોજ બાંદ્રા પોલીસ સમન્સની નકલ લઈને ખાર જીમખાનામાં કંગના રનૌતના ઘરે પહોંચી હતી. હવે કંગનાએ એક નિવેદન બહાર પાડ્યું છે જેમાં જણાવ્યું છે કે તે મનાલીમાં આવેલા તેના ઘરે હાજર છે અને હાલની કોરોનાની સ્થિતિને કારણે તે નિવેદન આપવા માટે બાંદ્રા પોલીસ સ્ટેશન આવી શકશે નહીં.
કંગના રનૌતનાં વકીલ એડ્વોકેટ ઇશકરન ભંડેરીએ બાંદ્રા પોલીસે જારી કરેલી નોટિસનો જવાબ આપ્યો છે. કંગનાએ તેના વકીલ દ્વારા કહ્યું છે કે, તે 17 માર્ચથી મનાલીમાં તેના ઘરે હાજર છે. પોલીસે કંગનાને 27 થી 31 જુલાઇની વચ્ચે બાંદ્રા પોલીસ સ્ટેશન આવવાની અપીલ કરી છે.