મુંબઈ : ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’ શોમાં દયાબેન પરત ફરશે તે રાહમાં બેઠેલા ચાહકોને શોમાં એક નવો વળાંક જોવા મળશે. એવા અહેવાલો છે કે દયાબેન નહીં પણ તેમની માતા શોમાં પ્રવેશી શકે છે. તમને જણાવી દઈએ કે, દયાબેન (દિશા વાકાણી) સપ્ટેમ્બર 2017 થી આ શોમાં હાજર નથી.
દયાબેનની માતાનો ટ્રેક કેવી રીતે લાવવામાં આવશે?
આગામી એપિસોડમાં, તે બતાવવામાં આવશે કે જેઠાલાલના પિતા ચંપક લાલ ઘણા સમયથી ગુમ છે. જેઠાલાલ તેના પિતાની શોધમાં કંટાળી ગયો છે. તેઓ અસહાય અનુભવે છે. ચંપકલાલ પાસે ચશ્માં પણ નથી, તેથી જેઠાલાલ વધુ ચિંતિત છે. તે જ સમયે, ચશ્મા વગર ચંપકલાલને દેખાતું બંધ થઇ ગયું છે. જ્યારે પણ તેઓ મદદ માંગે છે ત્યારે તેઓ મુશ્કેલીમાં મુકાઈ જાય છે.
દરમિયાન, એક માણસ ચંપકલાલને મદદ કરે છે, તે ગોકુલધામ સોસાયટીનું સરનામું જાણે છે. પરંતુ તે વ્યક્તિને ઓછું સંભળાય છે. તે ભૂલથી ચંપકલાલને થાણેની ગોકુલધામ સોસાયટીની બસમાં બેસાડે છે.
https://www.instagram.com/tv/B55Bq8tiAId/?utm_source=ig_web_copy_link
દરમિયાન જેઠાલાલ અને સોસાયટીના અન્ય સભ્યો પોલીસ સ્ટેશનમાં ચંપકલાલના ગુમ થયાના અહેવાલ લખવા ગયા હતા. આ સમય દરમિયાન જેઠાલાલ તેની સાસુને ફોન કરે છે અને પિતાને શોધવા માટે સલાહ માંગે છે. દયાબેનની માતા તેના જમાઈ જેઠાલાલને મદદ કરે છે. હવે જોવાનું એ રહેશે કે, નિર્માતાઓ દયાબેનની માતાનો ચહેરો બતાવે છે કે દર વખતેની જેમ તેનો અવાજ બેકગ્રાઉન્ડમાં સાંભળવા મળશે છે. ઉલ્લેખનીય છે કે, શોમાં શરૂઆતથી જ દયા તેની માં સાથે ફોન પર વાત કરતી હોય તેવા ઘણા સીન છે, તેના ઘણા નુસખાને લઈને પણ ચર્ચા થતી રહે છે, પરંતુ આ કેરેક્ટર હંમેશા અદ્રશ્ય છે એટલે કે ક્યારેય તેમનો ચેહરો પણ શોમાં બતાવવામાં આવ્યો નથી. ત્યારે દર્શકો વિચારી રહ્યા છે કે શોમાં હવે આ કેરેકટરની એન્ટ્રી થઇ શકે છે.