મુંબઈ : દરેક જણ કોરોના વાયરસ વિશે જાગૃતિ ફેલાવી રહ્યું છે. ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં કોરોના વાયરસ વિશેનો એક એપિસોડ બતાવવામાં આવ્યો હતો. શોમાં આને કારણે જેઠાલાલ અને અય્યર વચ્ચે લડાઈ પણ થઇ જાય છે.
અય્યર પર ભડક્યો જેઠાલાલ
સોમવારના એપિસોડમાં, તે બતાવવામાં આવ્યું હતું કે અય્યરનું પ્રમોશન થઇ ગયું છે, જેનાથી તે ખૂબ જ ખુશ છે. પોપટલાલ તેમને અભિનંદન આપે છે. અય્યર અને પોપટલાલ કમ્પાઉન્ડમાં ઉભા હોય છે ત્યારે ત્યાં જેઠાલાલ આવે છે અને પ્રમોશનની શુભકામના પાઠવે છે. આ સાથે જ જેઠાલાલ હાથ મિલાવવાનું કહે છે.
આ દરમિયાન અય્યર હાથ જોડીનેમ આભાર માને છે. આ જોઈને જેઠાલાલ કહે છે કે, આટલું અભિમાન સારું નહીં. જો હું તમને પ્રેમથી શુભેચ્છાઓ આપવા માટે હાથ આગળ કરું છું, તો પછી તમે આ રીતે હાથ જોડી રહ્યા છો. તો પોપટલાલ જેઠાલાલને કહે છે કે, આ પ્રકારની વાતો કરવી યોગ્ય નથી. ત્યારે જેઠાલાલ ખૂબ ગુસ્સે થાય છે. કોઈનું સાંભળતો નથી તે તારક મહેતાની વાત પણ સાંભળતો નથી અને તારક મહેતા સાથેપણ ઝઘડો કરે છે.
આ પછી જેઠાલાલ શાંત થયા અને આખી વાત સમજાવી. તે પછી તે માફી માંગે છે. પછી દરેક કોરોના વાયરસથી સાવચેત રહેવું તે વિશે વાત કરે છે.