મુંબઈ : સમાચાર આવ્યા છે કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોના લેખક અભિષેક મકવાણાએ આત્મહત્યા કરી લીધી છે. જોકે તેણે 27 નવેમ્બરના રોજ આત્મહત્યા કરી હતી, પરંતુ આ કેસ ઘણા દિવસોથી દબાયેલો હતો અને હવે કેટલાક ચોક્કસ કારણોસર મીડિયામાં આ સમાચાર સામે આવ્યા છે.
પરિવારને બ્લેકમેલિંગની શંકા
અભિષેકના પરિવારજનોએ દાવો કર્યો છે કે મૃતક અભિષેક પર એક પ્રકારનું માનસિક દબાણ ઉભુ થયું હતું, જેના કારણે તેણે આવું પગલું ભર્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિષેકે લીધેલી લોન પરત આપવાનું દબાણ કેટલાક અજાણ્યા લોકો દ્વારા કરવામાં આવી રહ્યું હતું. તે આ દબાણને સહન કરી શક્યો નહીં અને તેણે મોતને વ્હાલું કર્યું.
પરિવારને કેવી રીતે શંકા ગઈ
એવું કહેવામાં આવે છે કે અભિષેકના મૃત્યુ બાદ તેના ભાઈને થોડી શંકાઓ હતી. તેથી તેણે તપાસ કરી અને કેટલીક મહત્ત્વની બાબતો પ્રકાશમાં આવી.ત્યારબાદ તેણે અભિષેકનો મેઇલ ચેક કર્યો. એટલું જ નહીં, લોન ભરપાઈ કરવા માટે વિવિધ સ્થળોએથી કોલ પણ આવી રહ્યા હતા. ક્યારેક મ્યાનમારના નંબર પરથી, તો ક્યારેક બાંગ્લાદેશના નંબર પરથી. વધુ તપાસ કર્યા પછી, તેમને જાણવા મળ્યું કે ખરેખર કંઈક ખોટું હતું. અભિષેકે એક એવી કંપની પાસેથી લોન લીધી હતી જે ખૂબ ઓછી રકમ પર વધારે વ્યાજ વસુલે છે.
કેસને સાયબર ક્રાઇમ સાથે જોડવામાં આવી રહ્યો છે
તે જ સમયે, આ કેસ સાયબર ક્રાઇમ જેવો દેખાય છે. અભિષેક કદાચ કોઈ છેતરપિંડીનો ભોગ બન્યો હશે અને બાદમાં તેને બ્લેકમેઇલ કરવામાં આવ્યો હતો. જો કે, આ મામલે કંઇ કહેવું બહુ વહેલું છે. હાલ આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે કેસ નોંધ્યો છે અને પરીવારના સભ્યો પણ તપાસમાં સંપૂર્ણ સહયોગ કરી રહ્યા છે. પોલીસને પરિવાર તરફથી કેટલીક વિગતવાર વિગતો પણ આપવામાં આવી છે જેથી તપાસ વધુ સરળ બને.