સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં ‘વર્લ્ડ ઇકોનોમિક ફોરમ’ સંમેલનમાં બાદશાહ ખાનને ક્રિસ્ટલ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા બોલીવૂડ અભિનેતા શાહરૂખ ખાને એક ઇન્ટરવ્યૂ દરમિયાન અનેક મુદ્દાઓ પર તેમના બેબાક અભિપ્રાય અાપ્યો હતો.શાહરુખને આ એવોર્ડ બાળકો અને ખાસ કરીને એસીડ હુમલાનો ભોગ બનનાર મહિલાઓ માટે કામ કરવા બદલ મળ્યો હતો.
સંમેલનમાં બાદશાહ ખાને તેની સંસ્થાની કામગીરીની ઝાંખી કરાવી.આ દરમિયાન જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે ભારતના વડાપ્રધાન મહિલા ઉદ્દભવ માટે શું કરી રહ્યા છે, ત્યારે તેઓ બેટી બચાવો બેટી પઢાઓ વિશે વાત કરી હતી.તેમણે જણાવ્યું હતું કે, મોદીના આ પગલાંઓ અસરકારકતામાં સમય લાગે છે, પરંતુ આની અસરથી વાતાવરણ બદલાશે.
શાહરૂખનું ફાઉન્ડેશન એસીડ હુમલાનો ભોગ બનનાર મહિલાઓ માટે કામ કરે છે અને તેમના જીવનને ફરીથી પાટાપર લાવવામાં મદદ કરે છે.ફાઉન્ડેશનનું નામ મીર ફાઉન્ડેશન છે જે શાહરુખના પિતા મીર તાજ મોહમ્મદ ખાનના નામ પરથી રાખવામાં આવ્યુ છે.
દાવોસમાં શાહરૂખ ખાને ત્રિપલ તલાક પર પ્રથમ વખત કરી દીલની વાત. તેમણે કહ્યુ ત્રિપલ તલાક પર રોક લાગવાથી મહિલાઓની પરિસ્થિતિ સુધરશે.