મંગળવારે મોડી રાત્રે હૃદય રોગના હુમલાના કારણે જાણીતા શાસ્ત્રીય ગાયિકા ગિરિજા દેવીનું નિધન થયું છે. 88 વર્ષની ઉંમરે તેમનું નિધન થતા તેમના પરિવારજનો શોકગ્રસ્ત થયા છે. ઠુમરી ક્વીનના હુલામણા નામે ગિરિજા દેવીને ઓળખવામાં આવતા હતા. ઠુમરી ગાયિકા ગિરિજા દેવી વિશ્વભરમાં પ્રખ્યાત હતા. ગિરિજા દેવીને માં સરસ્વતીનું વરદાન હતું તેવું કહી શકાય। પોતાના સ્વરથી મંત્રમુગ્ઘ કરવાની અદ્ધભૂત તાકાત હતી ગિરિજા દેવી પાસે।
ગિરિજા દેવીએ વર્ષ 1949માંઅલ્હાબાદથી ઓલ ઇન્ડિયા રેડિયોથી પોતાના કેરિયરની શરૂઆત કરી હતી. ગિરિજા દેવીને પદ્મ ભૂષણથી વર્ષ 2016માં સન્માનિત કરવામાં આવ્યા હતા. ગિરિજા દેવી તેમના ચાહકોના દિલમાં હંમેશા રહેશે