મુંબઈ : કોરોના સંકટ વચ્ચે બોલિવૂડ અને નાના પડદાના સ્ટાર્સની આત્મહત્યા કરવાનું સિલસિલો ચાલુ છે. ટીવી એક્ટર સમીર શર્માએ આત્મહત્યા કરી છે. તેણે મુંબઈમાં પોતાના ઘરે આત્મહત્યા કરી હતી. સમીર શર્માએ ‘કહાની ઘર-ઘર કી’ સીરિયલમાં કામ કર્યું હતું. આ મામલે મલાડ પોલીસે એડીઆર નોંધી છે.
44 વર્ષીય સમીર શર્માનું મલાડ વેસ્ટના નેહા સીએચએસ બિલ્ડિંગમાં તેના ઘરે જ ફાંસો ખાઈને મોત નીપજ્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ અભિનેતાએ 2-3 દિવસ પહેલા આત્મહત્યા કરી હતી. કારણ કે પોલીસ જ્યારે ફ્લેટની અંદર આવી ત્યારે લાશ સડવાનું શરૂ થઈ ગઈ હતી. મલાડ પોલીસના જણાવ્યા મુજબ, સમીરે આ વર્ષે ફેબ્રુઆરીમાં આ એપાર્ટમેન્ટ ભાડે રાખ્યું હતું. બુધવારે (5 ઓગસ્ટ) નાઇટ ડ્યુટી પર ચોકીદારને સમીર શર્માની ડેડબોડી લટકતી દેખાઈ હતી. સમીરનો મૃતદેહ રસોડામાં પંખાથી લટકતો હતો. પોલીસને સ્યુસાઇડ નોટ મળી નથી. આખા ઘરનું સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. પોલીસ આ મામલે નાણાકીય એંગલની પણ તપાસ કરી રહી છે.
સમીર શર્મા કોણ હતા?
સમીર શર્માએ ઘણા ટેલિવિઝન શોમાં કામ કર્યું હતું. તે ‘કહાની ઘર ઘર કી’માં જોવા મળ્યો હતો, આ ઉપરાંત ‘યે રિશ્તે હે પ્યાર કે’, ‘લેફ્ટ રાઈટ લેફ્ટ’, ‘જ્યોતિ’, ‘ગીત હુઈ સબસે પરાઈ’, ‘2612’, ‘દિલ ક્યા ચાહતા હૈ’, ‘વીરાનગલી’, ‘વો રહેનેવાલી મહેલો કી’, ‘આયુષમાન ભવ’, ‘ઇસ પ્યાર કો ક્યા નામ દૂ?’, ‘એક બાર ફિર’, ‘ભૂતૂ’,આ જોવા મળ્યો હતો. આ દિવસોમાં તે સિરિયલ ‘યે રિશ્તે હૈ પ્યાર કે’માં શૌર્ય મહેશ્વરીની ભૂમિકા નિભાવી રહ્યો હતો.