બોલિવુડ એક્ટ્રેસ વિદ્યા બાલને શનિવારે સાંજે થિયેટરોમાં રાષ્ટ્રગીત વગાડવા પર આપવામાં આવેલા નિર્ણય પર કહ્યું કે, દેશભક્તિની ભાવનાને કોઇ પર થોપી ના શકાય. તેમણે કહ્યું કે, મને નથી લાગતું કે ફિલ્મો પહેલા રાષ્ટ્રગીત વગાડવું જોઇએ. આપણે શાળામાં નથી ભણતા કે દિવસની શરૂઆત રાષ્ટ્રગીતથી કરીએ. તેથી મારું વ્યક્તિગત માનવું છે કે, ફિલ્મો પહેલા રાષ્ટ્રગીત ન વગાડવું જોઇએ. તમે કોઇપણ વ્યક્તિ પર દેશ ભક્તિ થોપી ન શકો. સેન્ટ્રલ બોર્ડ ફોર ફિલ્મ સર્ટિફિકેશનની મેમ્બર વિદ્યા બાલને કહ્યું કે, જ્યારે તેને આ બોર્ડ સાથે જોડાવાનો મોકો મળ્યો તો તેણે વિચાર્યું કે, તેની પાસે પરિવર્તન લાવવાનો મોકો મળશે.
વિદ્યાએ જણાવ્યું કે, ગત સેન્સર બોર્ડ વિશે સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ એક અલગ વિચારધારા ધરાવતી હતી. જ્યારે મને પૂછવામાં આવ્યું કે, શું તમે તેનો ભાગ બનવા ઈચ્છો છો, ત્યારે મને લાગ્યુ કે, પરિવર્તન લાવવાનો આ સાચો સમય છે. જ્યાં સુધી હું એ પરિવર્તનનો ભાગ નથી બની જતી અથવા તેનો ભાગ બનવાનો પ્રયાસ નથી કરતો, ત્યાં સુધી હું તેની આલોચના પણ કરી નથી શક્તી. આ કારણે જ મેં બોર્ડમાં સદસ્ય બનવાની હા પાડી હતી. વિદ્યાએ કહ્યું કે, હું નથી ઈચ્છતી કે, તમે બોર્ડને સંસ્કારી, બિનસંસ્કારી કે કોઈ બીજું ટેગ આપો.
વિદ્યા બાલનની ફિલ્મ તુમ્હારી સુલુ 17 નવેમ્બરના રોજ રિલીઝ થશે. ત્યારે આ વિવાદ શું રંગ લાવશે તે જોવાનું રહ્યું