શાહિદ કપૂર સ્ટારર ફિલ્મ ‘જર્સી’ આજે એટલે કે 22 એપ્રિલે સિનેમાઘરોમાં આવવાની છે. ગયા વર્ષે ફિલ્મનું પહેલું ટ્રેલર આવ્યું હતું અને ત્યારથી ચાહકો શાહિદ કપૂરને જોવા ઇચ્છી રહ્યા છે. આ ફિલ્મ દ્વારા અભિનેતા ત્રણ વર્ષ પછી પડદા પર પરત ફરશે. ‘જર્સી’ની રિલીઝ ડેટ ઘણી વખત મોકૂફ રાખવામાં આવી હતી અને આખરે આ ફિલ્મ રિલીઝ થઈ રહી છે.
ગુરુવારે એટલે કે ગઈ કાલે, ફિલ્મના નિર્માતાઓએ સ્ટાર્સથી સજ્જ સ્ક્રીનિંગનું આયોજન કર્યું હતું, જેમાં બીટાઉનના લોકોએ હાજરી આપી હતી. અન્ય લોકોમાં કિયારા અડવાણી પણ સામેલ હતી. તેણે હવે તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફિલ્મ વિશે પોતાના દિલની વાત કરી છે. ગઈકાલે રાત્રે, કિયારાએ ફિલ્મ વિશે તેના વિચારો વ્યક્ત કરવા માટે તેની Instagram સ્ટોરી લીધી. ફિલ્મનું પોસ્ટર શેર કરતી વખતે અભિનેત્રીએ કહ્યું કે માય ડિયર એસકે, તું બહુ ખાસ છે, તને અર્જુન તરીકે જોવો એ કોઈ જાદુથી ઓછું નથી, જર્સી આવતી કાલે રિલીઝ થઈ રહી છે. સમગ્ર ટીમને મારી શુભેચ્છાઓ.
શાહિદે કિયારાને મારી બંદી કહી
શાહિદે પણ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર કિયારાની આવી વાતો શેર કરી અને તેને જવાબ પણ આપ્યો. તેની 2019ની ફિલ્મ ‘કબીર સિંહ’માંથી તેને ‘પ્રીતિ’ અને પોતાને ‘કબીર’ કહીને સંબોધતા શાહિદે લખ્યું, ‘માય ડિયર પ્રીતિ તારી વાત હંમેશા કબીરના દિલમાં રહેશે, તુ મેરી બંદી હૈ.’ તમને જણાવી દઈએ કે, ‘તુ મેરી બંદી હૈ’ કબીર સિંહનો ફેમસ ડાયલોગ છે. આ ફિલ્મમાં શાહિદ અને કિયારાની જોડી ચાહકોને ખૂબ જ પસંદ આવી હતી.
ફિલ્મ ‘જર્સી’ વિશે વાત કરીએ તો, આ ફિલ્મ એ જ નામની તેલુગુ ફિલ્મની હિન્દી રિમેક છે, જેમાં નાનીએ અભિનય કર્યો હતો. તે ગૌથમ તિન્નાનુરી દ્વારા નિર્દેશિત છે, જેમણે તેલુગુમાં પણ આ જ ફિલ્મ બનાવી હતી. શાહિદ અને મૃણાલ ઉપરાંત, આ ફિલ્મમાં અભિનેતાના પિતા અને પીઢ અભિનેતા પંકજ કપૂર પણ મહત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મમાં શાહિદ એક નિષ્ફળ ક્રિકેટરની ભૂમિકામાં જોવા મળશે જે 36 વર્ષની ઉંમરે પોતાના પુત્ર માટે મેદાનમાં ઉતરે છે.