ટેલિવિઝનનો શો બિગ બોસ તેની દરેક સિઝનમાં ખૂબ જ ચર્ચામાં રહેતો હોય છે. ત્યારે દર વખતની માફક તેની હાલની સિઝન પણ એટલી જ ચર્ચામાં છે. તેમાં પણ દરેક ‘બિગ બોસ’ ફેન સલમાન ખાનના ‘વીકેન્ડ કે વાર’ની આતુરતાથી રાહ જોતા હોય છે. તેમાં પણ જયારે સલમાન ખાન સ્ક્રીન પર આવે છે, ત્યારે બિગ બોસના સ્પર્ધકોના પરસેવા છૂટી જતા હોય છે. ત્યારે બિગ બોસના આગામી એપિસોડમાં એ જોવા મળશે કે સલમાન ખાન મુનાવરની ગર્લફ્રેન્ડ આયેશા ખાનને નિશાન બનાવશે. આ આરોપો આયેશા સહન કરી શકેશે નહીં જેથી તે અંકિતા લોખંડે પાસે જઈને રડશે. આ માટે સૂત્રોનું માનીએ તો, સતત રડવાના કારણે આયેશા બિગ બોસના ઘરમાં બેભાન થઈ ગઈ હતી અને તેને મેડિકલ ઈમરજન્સી હેઠળ ઘરની બહાર લાવવામાં આવી હતી.
સલમાન ખાનના ગુસ્સાનો શિકાર બન્યા બાદ હવે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આયેશા તેના નાદુરસ્ત સ્વાસ્થ્યને કારણ આપીને બિગ બોસ 17ને અલવિદા કહી દેશે. મન્નારા ચોપરાથી લઈને બિગ બોસના હોસ્ટ સલમાન ખાન સુધી બધાએ આયેશા પર મુનાવરના નામનો ઉપયોગ કરવા માટે આરોપ લગાવ્યો છે. કહેવાય છે કે, તે બિગ બોસ શોમાં તેની સાથે લાઇમલાઇટ મેળવવા માટે આવી છે. આયેશાને આ શોમાં આવવાનું હતું અને તેથી તેણે મુનાવર પર આરોપ લગાવ્યો અને હવે તે ઘરની અંદર આવી ગઈ છે, તેણે મુનાવર સાથે પ્રેમનો એંગલ બતાવીને આ ઘરમાં રહેવાનું છે. જેથી આયેશા પણ અન્યની જેમ સેલિબ્રિટી બની જાય.
આયેશાની એન્ટ્રી બાદ બિગ બોસના પહેલા ‘વીકેન્ડ કા વાર’માં સલમાન ખાને તેને સંપૂર્ણપણે નજરઅંદાજ કરી હતી. સલમાન ખાને આયેશાનું નામ પણ લીધું ન હતું. સલમાને એટલું જ કહ્યું હતું કે અમે મુનાવર અને નવા વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી વિશે વાત નહીં કરીએ. આ અઠવાડિયે સલમાને તેનું નામ લીધું પરંતુ આયેશાનું નામ લઈને ઘણા આરોપો લગાવવામાં આવ્યા હતા. રાષ્ટ્રીય ટેલિવિઝન પર તેના ઇરાદાઓને ડીકોડ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારે આ તમામ ઘટનાક્રમ બાદ હવે બિગબોસના ચાહકો માટે જોવાનું એ રસપ્રદ બની રહેશે કે આયેશા સલમાનના ગુસ્સાનો સામનો કરશે કે પછી બીમારીનું બહાનું બનાવીને શોમાંથી એક્ઝિટ કરશે.