મુંબઇ તા. ૧૨ : Jioએ એક નવી ઓફરની જાહેરાત કરી છે, જેમાં ગ્રાહકોને ૩૯૯ રૂપિયાનું રિચાર્જ કરાવવા પર ૧૦૦ ટકા કેશબેક આપવામાં આવશે. આ કેશબેક વાઉચર તરીકે મળશે જેનો ઉપયોગ તમારા નંબર પર રિચાર્જ કરાવવા માટે કરી શકાશે. આ ઓફર ૧૨ ઓકટોબરથી શરૂ થથે અને ૧૮ ઓકટોબર સુધી ચાલશે.
૩૯૯ રૂપિયાના આ પેકમાં પ્રી-પેઈડ ગ્રાહકોને 1GBપ્રતિદિવસના હિસાબે 84GB ડેટા, ફ્રી SMS, જિયો એપ્સ માટે સબ્સક્રિપ્શન અને ફ્રી કોલ આપવામાં આવશે. પોસ્ટપેઈડ યુઝર્સને પણ આ જ લાભ મળશે, માત્ર તેમની વેલિડિટી ૩ બિલિંગ સુધીની રહેશે.
દિવાળીની આ ઓફર અંતર્ગત જિયો પ્રાઈમ કસ્ટમરને ૩૯૯ રુપિયાનું રિચાર્જ કરવા પર ૫૦ રૂપિયાના ૮ વાઉચર મળશે.
તમે એક સમયે માત્ર એક જ વાઉચરનો ઉપયોગ કરી શકશો, અને તે પણ ૧૫ નવેમ્બર પછી. અર્થાત, ભવિષ્યમાં તમે ૩૦૯ રૂપિયાનું રિચાર્જ કરાવશો તો તમારે માત્ર ૨૫૯ રૂપિયા જ ચુકવવાના રહેશે, કારણકે ૫૦ રૂપિયાનું વાઉચર તમારી પાસે હશે. આ ઓફરનો લાભ તે ગ્રાહકો પણ ઉઠાવી શકશે, જેમની વેલિડિટી હજી ચાલુ છે. આ ઓફર્સને માય જિયો એપ, જિયો વેબસાઈટ, જિયો સ્ટોર્સ, રિલાયન્સ ડિજીટલ સ્ટોર અને કંપનીના ઓફિશિયલ ઓનલાઈન પ્લેટફોર્મ પરથી એકિટવેટ કરી શકાશે.