રાજ્ય સરકારે અચાનક લીધેલા પગલાં માં 500 થી વધુ CRC BRC ને છુટા કરી દેવાનો પરિપત્ર જાહેર કરતા તેનો ઉગ્ર વિરોધ ઉભો થયો છે,ગત મોડી રાત્રે તે અંગે ઑર્ડર અપાયા હતા.સર્વશિક્ષણ અભિયાન અને પ્રાથમિક શિક્ષણ કમિશનર કચેરી દ્વારા સીઆરસી -બીઆરસી ની પ્રતિનિયુક્તિ થી પસંદગી તથા નિમણુંક અંગે ના નોર્મ્સ સામે રાજ્ય ના પ્રાથમિક શિક્ષક સંઘે વિરોધ નોંધાવ્યો છે.પ્રાથમિક શિક્ષકો ને સીઆરસી બીઆરસી બનાવ્યા બાદ ગુણોત્સવ અને પ્રવેત્સોવ ને જોઈએ તેટલી સફળતા નહીં મળતાં સરકારે છુટા કરવાનો નિર્ણય લીધો હોવાનું સૂત્રો એ જણાવ્યું હતું.
જોકે, એક વાત અહીં ટાંકવી પડે છે કે આજ સરકારે ગત વાઇબ્રાન્ટ માં CRC BRC ને શૂટ બુટ પહેરાવી NRI ગણાવી ગુણગાન ગાયા હતા,અને હવે તેજ લોકો ને રાતોરાત ખદેડી મુકવાનો નિર્ણય લેવાતા સબંધી માં નારાજગી જોવા મળી રહી છે.