રાજકોટ, 20 એપ્રિલ, 2020
જીવલેણ કોરોનાવાયરસને ખેતમ કરે એવો રાજકોટના ડોક્ટર રાજેશ દોશીએ ડોક્ટર નાકમાં સ્પ્રે કરીને લઈ શકાય એવી દવા શોધી છે. તેમણે ગુજરાત સરકાર સમક્ષ તે શોધ 8 એપ્રિલ 2020ના રોજ આપી છે. અનુનાસિક મિસ્ટ સ્પ્રેના શોધક રાજેશ દોશીએ સરકારને ખાતરી આપી છે કે આ સ્પ્રે નાક માટે સલામત છે. રૂપાણીએ તેમને ડ્રગ્ઝ કમીશ્નર સમક્ષ મોકલ્યા હતા. જ્યાંથી સ્પ્રેમાં વપરાતાં મીનરલ્સ નકસાન કરે તેમ નથી એવું મૌખીક રીતે જાણ કરી છે. સરકાર આ માટે ફુડસપ્લીમેન્ટ તરીકે લાયસંસ આપી શકે છે.
ગુજરાત માટે આ નવી શોધ છે. જે દુનિયા સમક્ષ જઈ શકે છે.
ડ્રગ્સ કમીશ્નર દ્વારા સ્પ્રેમાં વપરાયેલા મીનરલના સેમ્પલ લઈને બીજા દિવસે તેનો અહેવાલ આપ્યો હતો કે તેમાં જે મીનરલ વપરાયા છે નુકસાન કરતાં નથી.
શુક્લએ બનાવેલા સ્પ્રે વાયરસનો નાશ કરી શકે છે, તેને આગળ ફેલાવવામાં અટકાવે છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળ્યા અને રાજ્યને COVID-19 ની પકડથી મુક્ત કરવા માટે સરકારને વિના મૂલ્યે ઉત્પાદન પ્રદાન કરવાનો પ્રસ્તાવ મૂક્યો. સરકારી લેબ્સે પણ ઉત્પાદનનું પરીક્ષણ કર્યું છે. તેનો ઉપયોગ કરવા માટે સલામત જાહેર કર્યો છે.
વાપીમાં સ્પ્રે બોટલ બની શકે તેમ છે પણ લોકડાઉન હોવાથી શોધ કરનારા ડોક્ટર તેમ કરી શકે તેમ નથી. સરકારને આવા 1 લાખ ડોઝ તેઓ મફત આપવા માંગે છે.