ઉંઝાના ધારાસભ્ય આશાબેન પટેલના નિધનના કારણે ખાલી પડેલી બેઠક પર યોજાનાર પેટા ચૂંટણીમાં મહેન્દ્ર પટેલ ઉમેદવારી કરે તેવી શક્યતા છે.
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં ડીએમસી, સુરતના કમિશનર તરીકે પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને મદદ કરનાર તથા આનંદીબેન પટેલના નજીકના ગણાતા મહેન્દ્ર પટેલ હાલ ભાજપમાં હોદ્દા પર કાર્યરત છે. પૂર્વ આઇએએસ મહેન્દ્ર પટેલ અમદાવાદમાં ડે.કમિશ્નર ઉપરાંત કચ્છ અને સુરતમાં કલેક્ટર તરીકે ફરજ નિભાવી ચૂક્યાં છે. એવી ચર્ચા છેકે, સુરતમાં મહેન્દ્ર પટેલ કલેક્ટર તરીકે હતા તે વખતે હાલ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે ઘરોબો કેળવાયેલો હતો. આ જ મહેન્દ્ર પટેલ છેલ્લા કેટલાંય વખતથી રાજકારણમાં સક્રીય થયા છે.
ઉંઝામાં આશા પટેલે કોંગ્રેસમાંથી રાજીનામુ ધરી દીધુ તે વખતે મહેન્દ્ર પટેલે ભાજપની ટીકીટ મેળવી ઉંઝા બેઠક પરથી ચૂંટણી લડવા માટે ચર્ચામાં આવ્યા હતા, પણ સૃથાનિક રાજકીય સમીકરણ બંધ ન બેસતાં ભાજપે ટિકીટ આપી ન હતી. આખરે નિવૃતિ બાદ ઉપપ્રમુખ પદ આપી સીઆર પાટીલે મહેન્દ્ર પટેલને પોતાની ટીમમાં સમાવ્યાં છે.