કેનેડા દ્વારા ઈમિગ્રેશનનાં નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે જે હેઠળ ભારતનાં વિદ્યાર્થીઓ તેમજ ઉચ્ચ કુશળતા ધરાવતા ભારતીયોને ફાયદો થશે. નવા નિયમો મુજબ જે લોકો ઉચ્ચ કુશળતા ધરાવતા હશે તેવા ઈમિગ્રન્ટસને પીઆરશીપ આપવાની કામગીરીમાં વધારો કરાશે. આ ઉપરાંત જે વિદ્યાર્થીઓ કેનેડાની સંસ્થાઓમાં ભણીને ગ્રેજ્યુએટ થયા હશે તેઓ સરળતાથી પીઆર મેળવી શકશે. નવા નિયમો ૧૮ નવેમ્બરથી લાગૂ કરવામાં આવ્યા છે. કેનેડામાં ભણવા આવતા વિદેશી વિદ્યાર્થીઓમાં ૧૪ ટકા ભારતીય હોય છે. ચીનનો બીજો નંબર આવે છે. ૨૦૦૪–૦૫થી ૨૦૧૩–૧૪ વચ્ચે કેનેડામાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યામાં ૮૮ ટકાનો વધારો થયો હતો. દાયકા પહેલા ૬૬.૦૦૦ વિદેશી વિદ્યાર્થીઓ હતા જે દસ વર્ષમાં વધીને ૧,૨૪,૦૦૦ થયા છે.
રેન્કિંગ પોઈન્ટમાં વધારો
કેનેડામાં હવે કોમ્પ્રિહેન્સિવ રેન્કિંગ સિસ્ટમ હેઠળ એક કે બે વર્ષનાં ડિપ્લોમા કે ર્સિટફિકેટ ધારકને ૧૫ પોઈન્ટ આપવામાં આવશે અને ત્રણ વર્ષ માટે ડિગ્રી કે માસ્ટર ડિગ્રી કે પ્રોફેશનલ ડિગ્રી કે ડોકટરની ડિગ્રી મેળવનાર ડિગ્રીધારક, ડીપ્લોમા ધારક કે ર્સિટફિકેટ ધારકને ૩૦ પોઈન્ટ આપવામાં આવશે. આવા વિદ્યાર્થીઓ એક્સપેસ એન્ટ્રી સિસ્ટમ હેઠળ પીઆરશિપ મેળવવા લાયક બનશે.
ભારતીયોને વિઝા આપતી કેટેગરીમાં સંખ્યા વધારાઈ
ભારતનાં વિદ્યાર્થીઓને જે કેટેગરી હેઠળ પ્રવેશ અપાય છે તેમાં વધારો કરાય છે તેથી ભારતીય વિદ્યાર્થીઓ માટે આ આનંદનાં સમાચાર છે. ભારતીયોને ઈકોનોમિક ક્લાસ કેટેગરીમાં પ્રવેશ અપાય છે તેમાં ૨૦૧૬માં ૧,૬૦,૬૦૦ લોકોને વિઝા અપાયા હતા જે વધારીને હવે ૧,૭૨, ૫૦૦ કરાયા છે.
એક વર્ષમાં ભારતીય વિદ્યાર્થીઓ પાસેથી અમેરિકાને ઔ૫ અબજ ડોલર ફીની આવક
અમેરિકામાં સૌથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે જાય છે જેમાં છેલ્લા એક–બે વર્ષમાં ૨૫ ટકાનો વધારો થયો છે. આને કારણે અમેરિકાનાં અર્થંતંત્રને ભારતીય વિદ્યાર્થીઓ પાસેથી ફી પેટે ગયા વર્ષે પાંચ અબજ ડોલરની આવક થઈ હતી.