કનુ રામદાસ ગાંધી 87 વર્ષના હતાનાસાના પૂર્વ વૈજ્ઞાનિક હતા
દાદા મોહનદાસ કરમચંદ ગાંધીની લાકડી પકડીનેચાલતા જતા એક નાકકડા બાળકની તસ્વીર વિશ્વ પ્રસિદ્ધથઇ હતી આ નાનકડો બાળક એટલે કનુ રામદાસ ગાંધીગુજરાતના ઐતિહાસિક દાંડીના મીઠાના સત્યાગ્રહ સમયેજુહુના બીચ ઉપર આ તસ્વીર લેવાયેલ જે આજે દાયકાપછી [પણ લોકોની સ્મૃતિમાં આજે પણ છે જે અહીંનજરે પડે છે
તેઓ છેલ્લા કેટલાક અઠવાડિયાથી સુરતની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં હતા અને તેમનીસારવાર માટે નાણાંની વ્યવસ્થા પણ માંડ માંડ થઈ હતી ધીમંત બદીયા નામના ગાંધીજીના અંગતમિત્રના પૌત્રે માંદગીના ખાટલે રહેલ કનુભાઈને 21 હજાર રૂપિયા પોતાની અંગત રકમમાંથી આપ્યાહતા રાધાકૃષ્ણ મંદિરે ખુબ મોટી સેવા કરી હતી તેમણે શિવજ્યોતિ હોસ્પિટલમાં કનુભાઈ ગાંધીનેદાખલ કરેલ તેમજ કનુભાઈ ગાંધીના પત્ની 90 વર્ષના વયોવૃદ્ધ શિવલક્ષમી કનુભાઈ ગાંધીની ખાસસંભાળ લઈ રહ્યા છે શિવલક્ષમીને કાને બહેરાશ છે અને વૃદ્ધત્વની અન્ય બીમારીથી પણ પીડાઈ છે
22 ઓક્ટોબરે કનુભાઈ ગાંધી ઉપર હૃદયરોગનો ગંભીર હુમલો આવેલ અને તેમનું અડધુંશરીર લકવાગ્રસ્ત થઈ ગયેલ આ પછી તેઓ સતત બેભાન રહેલ અને વેન્ટિલેટર ઉપર રાખવામાંઆવેલ,તેમની પાસે તેમની પત્ની શિવાલક્ષમી અને રાકેશ જેમને મંદિરે નિયુક્ત કરેલ તે રહ્યા હતા
કનુભાઈના વયોવૃદ્ધ બહેન ઉષાબેન ગોકાણી મુંબઈથી સતત ખબર અંતર પૂછતાં રહેલ અનેબેંગ્લુરુથી બીજા બહેન સુમિત્રા કુલકર્ણી (ભૂતપૂર્વ રાજ્યસભા સભ્ય )જે તાજેતરમાં મુલાકાત લીધેલ
શ્રી ધીમંત બદીયા કહે છે કે વડાપ્રધાન ઓફિસ તરફથી સહાનુભૂતિની અને સહાયની જાણથયેલ પરંતુ તેમની ઓફિસ કે ગુજરતા સરકાર તરફથી કોઈ મળ્યું નથી ગુજરાતના નેતા કે પ્રધાનપણ કનુભાઇની પૂછા કરવા આવ્યા નથી
તેઓ કહે છે કે ગાંધીજીની શતાબ્દીની ઉજવણી આવતા વસ્રહ થવાની છે જેના માટેકરોડોનું ફંડ વાપરનાર સાબરમતી આશ્રમે પણ ગાંધીજીના આ વારસદારની પૂછા કરવાની ખેવના કરીનહોતી
શ્રી બદીયાએ દુઃખ સાથે જણાવેલ કે કનુભાઈ કેટલાક સમય દિલ્હીના વૃધાશ્રમમાં વિતાવ્યાહતા