મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના ખરાવાડા ગામે ચૈત્રી દશમનો મા ચામુંડા ધામે યજ્ઞનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.આમ
52 ગામના માછી સમાજ દ્વારા માતાજીનુ હવનનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.
કડાણા તાલુકામાં આવેલાં 52 ગામ માછી સમાજના ખરાવાડા ગામે દસમનું હવન કરવામાં આવ્યું હતું. જેમાં અજમાંન પદે બિરાજ માન .શ્રી માછી નવિનભાઈ સોમાભાઈ એ માતાજીની પૂજા વિધિ પૂર્ણ કરવામાં આવી હતી .માં ચામુંડા માતાજીના દર્શનાર્થે આવેલા તમામ માછી સમાજના શ્રધ્ધાળુ તથા તેના ભાવિક ભક્તોએ આશીર્વાદ પ્રાપ્ત કર્યા.મા ચામુંડા ની કૃપા થી કડાણા ના માછી સમાજ ના લોકોમા ધાર્મિક.આર્થિક અને સામાજિક રીતે પ્રગતિ થઈ છે.. માની કૃપા થી ઘણા લોકોની મનોકામના સિધ્ધ થઈ છે.આમ વર્ષો થી અહી દશમનુ હવન કરવામાં આવે છે.આમ દર વર્ષે ઉજવાતો દશમ નો ઉત્સવ આ વર્ષ પણ ધામધૂમથી ઉજવામાં આવ્યો હતો.જ્યારે ભક્તો દ્રારા પણ માતાજી ધુન લગાવી અને ગરબાની રમઝટ જમાવી હતી.મંદિરે માતાજી ધજા ચઢાવવામાં આવી હતી.આમ ભક્તો માતાજી દર્શન કરી અને પાવન થયા હતા.આમ સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યુ હતુ.આમ માઈ ભકતોમા પણ ખુશીનો માહોલ જોવા મલ્યો હતો.