નવી દિલ્હી: દેશમાં ૫૦૦ અને ૧૦૦૦ની નોટ બંધ કરવાની જાહેરાત બાદ હવે તેની અસર જોવા મળી રહી છે. ત્યારે વડા પ્રધાન મોદીએ ગઈ કાલે ગોવામાં ફરી જાહેરાત કરી હતી કે ૩૦ ડિસેમ્બર બાદ આનાથી પણ વધુ આકરા નિર્ણય લેવાઈ શકે છે. તે મુજબ તેઓ કોઈ મોટો ધડાકો કરે તેવી શક્યતા છે. તેવી જાહેરાતથી હાલ આ અંગે દેશમાં અનેકવિધ અટકળોનો દોર ચાલી રહ્યો છે. અને તે વખતે મોદીએ પણ ખાતરી આપી હતી કે દેશવાસીઓને તેમની કલ્પના મુજબનું ભારત મળશે.
મોદીએ વધુમાં જણાવ્યું હતું કે ૩૦ ડિસેમ્બર બાદ કાળું નાણંુ રોકવા માટે હજુ આનાથી પણ વધુ આકરાં પગલાં લેવામાં આવશે. અને તેને કારણે કેટલાક લોકોને પરેશાની થશે. પંરતુ સ્વર્ણિમ ભારત બનાવવા માટે આવું પગલું ભરવું જરૂરી છે. અને આ માટે લોકોએ ૫૦ દિવસ મુસીબત અનુભવવી પડશે. પરંતુ ત્યારબાદ દેશવાસીઓને તેમની કલ્પના મુજબનું ભારત મળી શકશે.
વડા પ્રધાન મોદીએ વધુમાં જણાવ્યું છે કે ૩૦ ડિસેમ્બર બાદ કાળું નાણું ધરાવતા લોકોની ખેર નથી. જે લોકો બીજાના નામે મિલકત ખરીદીને બેસી ગયા છે તેવા લોકો પણ બચી નહિ શકે. તેમણે જણાવ્યું હતું કે જો કોઈ ભારતીય નાગરિક વિદેશની કોઈ બેન્કમાં તેના પૈસા જમા કરાવશે તે તેની વિગતો ભારત સરકારને મળી જાય તેવી પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.