નોટબંધીના કારણે સામાન્ય નાગરિકો જ નહીં પરંતુ રાજયના દસ લાખ જેટલા સરકારી કર્મચારી-અધિકારીઓ અને પેન્શનરો પણ પરેશાન છે. સરકાર દ્વારા તેમના બેંક એકાઉન્ટમાં જ સીધો પગાર જમા થતો હોઇ પૂરતી રોકડ લેવાની અને સો રૂપિયાની નોટ કેવી રીતે મેળવવી તેની સમસ્યા સરકારી કર્મીઓને પણ એટલી જ સતાવી રહી છે. સચિવાલયના યુનિયન દ્વારા આ મહિને પગાર રોકડમાં આપવો તેની પણ માગણી કરવામાં આવી હતી પરંતુ સરકારે સચિવાલયના સ્વર્ણિમ સંકુલમાં જ કર્મચારીઓ માટે ડિજિટલ-પેમેન્ટ અંગે જાણકારી આપતો વર્કશોપ યોજીને પગાર તો રોકડમાં નહીં પણ મોટાભાગના આર્થિક વ્યવહારો પણ હવે ઓનલાઇન જ કરવા જાણે આડકતરી રીતે સંદેશો પાઠવી દીધો હતો. રોકડા રૂપિયા હાથ પર નહીં હોવાની મુશ્કેલીના કારણે કેટલાક રાજયો દ્વારા સરકારી કર્મચારીઓને દસ હજાર રૂપિયા ટોકન રોકડમાં આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે રાજયના નાણા વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ તેમને હજુ સુધી પગાર કે કેટલાક રૂપિયા રોકડમાં કરવાની કોઇ સૂચના મળવા મળી નથી. એટલે દર વખતની જેમ જ પગાર બેંક ખાતામાં જમા થાય છે તે રીતે જ જમા કરવામાં આવશે.
ગુજરાત રાજય કર્મચારી મ