વલસાડઃવલસાડ જીલ્લાના અંતરિયાળ આદિવાસી વિસ્તારની એક વિદ્યાર્થીનીએ આશ્રમ શાળાના શિક્ષકોં પર દુષ્કર્મના ગંભીર આરોપ લગાવતા ચકચાર મચી ગઈ છે.શાળામા રહી અભ્યાસ કરતી પિડિતા વેકેશન મા ઘરે આવ્યા બાદ થોડા દિવસ મા તેની તબિયત લથડી હતી.આથી સારવાર માટે વલસાડ ની સિવિલ હોસ્પિટલમા દાખલ કરવામા આવી હતી.
જયા તેને શાળાના શિક્ષકો પર દુષ્કર્મના ગંભીર આરોપ લગાવતા ચકચાર મચી ગઈ હતી.પિડિતાના મતે શાળાના બે શિક્ષકો દ્વારા તેને કોઈ ગોળીઓ આપવા મા આવતી હતી અને ત્યાર બાદ દુષ્કર્મ આચરવામાં આવતુ હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા. આ સમગ્ર મામલો કલેક્ટર સુધી પહોંચતાં કલેક્ટર એ તાત્કાલિક તપાસ ના આદેશ આપ્યા હતા.
આથી પોલીસ અને જિલાનું બાળ સુરક્ષા એકમ પણ દોડતુ થઈ ગયુ હતુ અને સમગ્ર મામલાની તપાસ હાથ ધરી હતી.પિડિતા અત્યારે વલસાડની સિવિલ હોસ્પિટલ મા સારવાર હેઠળ છે.જોકે આં મામલે અત્યારે પોલીસ કે બાલસુરક્ષા વિભાગ ના કોઈ અધિકારીઓ કંઇ કહેવા તૈયાર નથી.વધૂમા આ સંવેદનસીલ મામલે પિડિતા અને શાળાનું નામ પણ ગુપ્ત રાખવામાં આવ્યું છે.જોકે આં મામલે વલસાડ જિલા કલેક્ટર એ મીડિયા સાથે વાત કરી હતી.