કચ્છ: કચ્છમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. મળતી માહિતી મુજબ કચ્છમાં 4.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. 2 સપ્ટેમ્બર, બુધવારે બપોરે 2.09 વાગ્યે ભૂકંપનો આંચકો આવ્યો હતો. ભુકંપનું એપી સેન્ટર દુધઈથી 7 કિલોમીટર દૂર હોવાનું સામે આવ્યું છે. જોકે, જાનમાલના નુકશાનના કોઈ સમાચાર સામે ન આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.
ઉલ્લેખનીય છે કે, ભૂકંપની તીવ્રતા વધુ હોવાથી ભૂજ અને આજુબાજુના વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સ્થાનિક લોકોએ આપેલી માહિતી મુજબ, આંચકો વધુ મેગ્નીટ્યુડનો હોવાથી ધ્રુજારી લાંબી ચાલી હતી.