ગુજરાતની વિકાસ મોડેલ તરીકે સમ્રગ દેશમાં છબી છે પરંતુ હાલ પડી રહેલા વરસાદની લઇ જે પ્રકારે રોડ-રસ્તાની સ્થિતિનું નિર્માણ થયુ છે તેને લઇ ગુજરાતની ચારેકોર ટીકા થઇ રહી છે. ઉબડ-ખાબડ રોડ રસ્તાથી વાહનો સાથે લોકોના હાડકા તૂટવાનો નક્કી હોય તેવી રીતે ઠેર-ઠેર ખાડાઓનું સ્રમાજય ખડાકાયેલું જોવા મળી રહ્યુ છે ,ગુજરાતના રાજકારણમાં ત્રીજા પક્ષ તરીકે ઉભરી આવેલી આમ આદમી પાર્ટી આક્રમક જોવા મળી રહી છે. વિરોધ પક્ષમાં કોંગ્રેસ હોવા છતા આપ દ્રારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે .
આજે આપના નેતાઓ કાર્યકરો દ્રારા શહેરના રોડ-રસ્તાની સ્થિતિને લઇ વડોદરા કમિશનર કચેરી ખાતે ઘેરાવ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ જેમાં રાજકોટના નેતા વશરામ સાગઠીયાની આગેવાની વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતું વિરોધ પ્રદર્શન મોટી સંખ્યામાં પોલીસ કાફલો કમિશનર ઓફિસ દોડી આવ્યો હતો અને વશરામ સાગઠિયાની અટકાયત કરી હતી
આ અગે આપ નેતા વશરામ સાગઠિયા મિડિયા સાથે વાતચીત કરતા જણાવ્યુ હતુ શહેરના રોડ રસ્તાનું સમારકામ કરાવવા મેયરની કે કમિશનર ફરજ નથી શું લોકોના પ્રશ્નોની રજૂઆત કરવી એ ગુનો છે રાજકોટમાં રોડ રસ્તાની ખૂબ જ ગંભીર સમસ્યા છે તેમજ સરકારી વિરોધી સૂત્રોચાર કરી પોતાના વિરોધ દર્શાવ્યો હતો