Ahmedabad: અમદાવાદના મણિનગરમાં શહેર કોટડામાં આવેલું પ્રખ્યાત ચારતોડા કબ્રસ્તાનને લઈ ભારે વિવાદ અને હંગામો ચાલી રહ્યો છે. આ વિવાદમાં હવે રાજકીય ઘૂષણખોરી થઈ હોવાથી કબ્રસ્તાનના મામલે રાજકીય રોટલો શેકવા માટે કેટલાક લોકો સક્રીય થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
10-10-2023ના રોજ ગુજરાત રાજ્ય વક્ફ બોર્ડ દ્વારા ચોરતોડા કબ્રસ્તાન-બી-247નાં પાચ દબાણકર્તાઓને દબાણ દુર કરવાની નોટીસ આપવામાં આવતા મામલો ઉંચકાયો હતો અને ત્યાર બાદ ગરમાયો હતો. હાલ આ કબ્રસ્તાનનું સંચાલન અને દેખરેખ અહેમદાબાદ સુન્ની મુસ્લિમ વક્ફ કમિટી કરી રહી છે. ગુજરાત રાજ્ય વકફ બોર્ડ દ્વારા અહેમદાબાદ સુન્ની મુસ્લિમ વક્ફ કમિટીને દબાણ અંગેની નોટીસ આપવામાં આવ્યા બાદ દબાણ દુર કરવા માટે કમિટી દ્વારા ગેરકાયદે રસ્તો અપનાવ્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. કેટલાક અસામાજિક તત્વો આ તકનો ગેરલાભ ઉઠાવી કબ્રસ્તાન મામલે ઉત્પાત મચાવી રહ્યા હોવાની ફરિયાદો પણ કરવામાં આવી રહી છે.
ચારતોડા કબ્રસ્તાનની હાલની સ્થિતિની વાત કરીએ તો કબ્રસ્તાન ખરેખર કબ્રસ્તાન છે કે કેમ તે એક પ્રશ્ન બની ગયો છે. કબ્રસ્તાન જાણો ગાર્ડન કે પિકનિક સ્પોટ હોય તેમ લોકો અને યુવાનો અહીંય મહાલી રહ્યા છે અને ધીંગા મસ્તી કરતા જોવા મળી રહ્યા છે.
કેટલાક લોકો તો કબર પર ચા પાણી અને નાસ્તો કરતાં પણ વીડિયોમાં જોવા મળે છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં બે માણસો પાકી કબર પર નાસ્તો કરી રહ્યા હોવાનું દેખાય છે. કચરા અને ગંદકીના ડૂંગર ખડકી દેવામાં આવ્યા છે. છોકરાઓ બોલ બેટ અને ગાડીઓનું પાર્કિીંગ કરી રહ્યા છે. ક્બ્રસ્તાન જેવા પાક અને પવિત્ર સ્થળ પર આવા પ્રકારના શર્મનાક કૃત્યો કરતાં લોકો પર અલ્લાહનો અઝાબ ઉતરશે એવું પણ સ્થાનિક લોકો કહી રહ્યા છે.
બીજી તરફ ગુજરાત રાજ્ય વક્ફ બોર્ડની દબાણ દુર કરવાની નોટીસ તત્કાલીન ચેરમેન સજ્જાદ હીરા અને મુખ્ય વહીવટી અધિકારી એમ.એચ. ખુમારના સમયમાં આપવામાં આવી હતી. મહત્વની વાત એ છે કે વક્ફ બોર્ડ દ્વારા દબાણ દુર કરવાની કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી પરંતુ અહેમદાબાદ સુન્ની વક્ફ કમિટી દ્વારા દબાણ દુર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ મામલો વક્ફ ટ્રીબ્યુનલમાં જતા ટ્રીબ્યુનલે હંગામી ધોરણે મનાઈહુકમ આપ્યો છે અને દબાણ થયા હોવાનું પણ આદેશમાં નોંધ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ કબ્રસ્તાનને લઈ સ્થાનિક લેવલે રાજકીય રમત પણ રમાઈ રહી છે. અલગ અલગ રાજકીય પક્ષોના આગેવાનો અને કાર્યકરો અંદરો અંદર કબ્રસ્તાનની જમીનના નામે રાજકીય રોટલો શેકી રહ્યા હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. કેટલાક અસામાજિરતત્વો પણ સમગ્ર ઘટનાક્રમમાં સક્રીય થયા હોવાની માહિતી મળી રહી છે.