ગુજરાત પેટા ચૂંટણીના પરિણામ બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે છે. જે અંતર્ગત અમિત શાહ સવારે 9.45 થી 10.00 વાગ્યા સુધીમાં ગાંધીનગર કોર્પોરેશનમાં કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમનું લોકર્પણ કરશે. તો 10.00 થી 11.30 મહાત્મા મંદિરના કાર્યકમમાં હાજરી આપશે. બપોરે 12.00 વાગ્યે કલોલ ખાતે પહોંચશે જ્યાં કલોલ ઓવર બ્રિજનું લોકાર્પણ કર્યા બાદ APMCના વિશાળ ગેટનું લોકર્પણ કરશે. ત્યારબાદ તેઓ ડો.અતુલ પટેલની કોલેજમાં જાહેર સભામાં સંબોધન કરશે. અમિત શાહ કલોલનો કાર્યકમ પૂર્ણ કર્યા બાદ અમદાવાદ તેમના નિવાસસ્થાને જવા રવાના થશે.
Wednesday, May 15