બનાસકાંઠામાં દેથળી ગામે એક સાથે ચાર યુવતીઓએ આત્મહત્યા કરતાં ચકચાર મચી ગઈ છે. ચારેય યુવતીઓના મૃતદેહને શોધવાની કામગીરી ચાલી રહી છે. મહત્વની બાબત એ છે કે ચાર પૈકી ત્રણ યવુતીઓ પરિણીત હતી અને એક યુવતી અપરિણીત હતી. ઘટનાની વાત વાયુવગે પ્રસરી જતા ગામલોકો અને પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હોવાની માહિતી સાંપડી રહી છે.
પ્રારંભિક વિગતો મુજબ બનાસકાંઠાના વાવ તાલુકાના દેથળી ગામે એક સાથા ચાર યુવતીઓએ કેનાલમાં કૂદી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. મૃતક યુવતીઓમાં ત્રણ પરણિત અને એક યુવતી અપરણિત હોવાનું બહાર આવ્યું છે. કેનાલ પાસેથી ચપ્પલ અને સુસાઇડ નોટ મળી આવી છે. સુસાઇડ નોટમાં લખ્યું છે કે બે બીમારીને કારણે આત્મહત્યા કરી છે. જ્યારે બે યુવતીઓએ તેની બહેનપણીના વિરહમાં આપઘાત કરી લીધો છે.
તો બીજી બાજુ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. તો મૃતક ચારેય યુવતીઓ ઠાકોર સમાજની હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતા જ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર તથા મોટી સંખ્યામાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને સ્થાનિક તરવૈયાઓની મદદથી યુવતીઓના મૃતદેહની તપાસ હાથ ધરી છે. આજુબાજુના ગામલોકોએ ઘટનાને આંખે જોઈ હોવાનું પણ જણાવ્યું છે.