રીના બ્રહ્મભટ્ટ
ગુજરાત જ નહિ બલકે સમગ્ર દેશ માટે આજે ૮ નવેમ્બેર એ એક ઐતિહાસિક દિન છે. કેમ કે, આ અગાઉ નોટબન્દીની કલ્પના પણ લોકોએ કરી નોતી. એક જ જાટકે લોકો જાન બચાવવા ભાગતા હોય એમ પોતાની બચત જમા પુંજીથી લઈને પોતાના વ્હાલા દીકરા-દીકરીના લગ્ન માટે એકઠા કરેલા નાણા બચવવાની જુગતમાં લાગ્યા હતા અને સૌથી ખરાબ સ્થિતિ તો એ હતી કે લોકોને રોજે રોજના ખર્ચા નિભાવવાના પણ ફાફા પડ્યા હતા. અને બેન્કોએ હાથ અદ્ધર કરી લોકોને ભારે પરેશાન કર્યા હતા. અને આ માટે બેન્કોમાં લાગેલી લાઈનોથી ૨૦૦ જેટલા લોકો મોતને ભેટ્યા હતા, તો કેટલાક લોકો એ લગ્નમાં વાપરવાના પૈસાની વ્યવસ્થા ના થવાને લીધે આત્મહત્યા કર્યાના બનાવો પણ બન્યા હતા. તેથી લોકોના દિમાગમાં થી આ દિવસની યાદ એમ જલ્દી નહિ જાય. અને એ પછી આવેલ જીએસટીએ સામાન્ય જન થી વેપારી આલમને ભારે મુશ્કેલીમાં મૂકી દીધો છે. અને આ જ સમયે ચુંટણી આવી છે, ત્યારે ખાસ તો કોંગ્રેસને લોકોની દુઃખતો રાગ પર હાથ મુકવાની તક મળી ગઈ છે.
અને આ તકને ધ્યાનમાં રાખીને જ રાહુલ ગાંધીએ ખાસ તો સુરતમાં વેપારીઓ સાથે ખુલીને ચર્ચા કરી હતી. કેમ કે, સુરત એ ગુજરાતનું બિજનેસ હબ છે. અને એમાં પણ ખાસ તો હીરા ઉદ્યોગ માટે ભારતમાં જ નહિ બલકે વિશ્વમાં પણ બીજા નંબરે આવે છે. જો કે, કેવળ સુરત જ નહિ પરંતુ રાજકોટ, અમદાવાદ, ભાવનગર, અલંગ જેવા શહેરોમાં હીરાથી લઇ સિરામિક, કાપડ , પાવર લૂમ્સ, કેમિકલ જેવા ઉદ્યોગો વૈશ્વિક લેવલે ગુજરાતની ઓળખ બનેલા છે. ત્યારે બહિ સીધી વાત છે કે, ગુજરાતની મોટા ભાગની પ્રજા વેપારી છે. અને એટલે જ ગુજરાતીની ઓળખાણ વેપારી સમુદાય તરીકે થાય છે. અને એટલે જ એના પર જીએસટીની અસર બહુ મોટા પ્રમાણમાં પડે એ સ્વાભાવિક છે.
અને વેપારીઓમાં રહેલ જીએસટી સામેના અસંતોષને ચુંટણીઓ મુખ્ય મુદ્દો બનાવી કોંગ્રેસ ૨૨ વર્ષનો વનવાસ પૂર્ણ કરવા ઈચ્છે છે. જો એક, ગુજરાતના કાપડના વેપારીઓ સહિતના વેપારીઓ ઓ ૧ જુલઈથી જ જીએસટી વિરુદ્ધ પ્રદર્શનો ચાલુ કરી દીધા હતા. પરંતુ હવે ચુંટણી આવતા સરકારને લોકોના આ અસંતોષનો અહેસાસ થયો છે. અને ભાજપને પણ હવે આ વાતનો અહેસાસ થતા કોંગ્રેસ લાભ ખાટી જાય એ પહેલા ભૂલ સુધારી લેવા કેટલીય ચીજો પર ટેક્ષ ઘટાડવાની જાહેરાત કરી છે.
જો કે, રાહુલે જીએસ્ટીને ચુંટણીનો મુખ્ય મુદ્દો બનાવતા આ ટેક્ષ ને “ગબ્બર સિંહ ટેક્ષ “ કહયો છે. અને એમાં પણ ખાસ તો સુરતના કાપડના વેપારીઓ દ્વારા કરવામાં આવેલ પ્રદર્શન સૌથી આક્રમક હતું. અને એને જ હથિયાર બનાવી કોંગ્રેસ હજુ પણ તેના માટે વેપારીઓ સાથે મીટીંગો કરશે.
જો કે, ૭ ઓક્ટોબરે જીએસટી કાઉન્સીલે ૨૭ જેટલી ચીજો પર ટેક્ષ ઘટાડ્યો હતો. અને આ જાહેરાત ખાસ તો ગુજરાતની ચુંટણીઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હોય એવું જણાય છે. કેમ કે, જેની પર ટેક્ષ ઘટાડાયો છે તમાં ટેક્ષટાઈલસ ઉદ્યોગ માટે બધા જ પ્રકારના સિન્થેટીક ફિલામેન્ટ યાર્ન જેવા કે, નાયલોન, પોલીસ્ટાર અને મેન્મેડ સ્ટેપલ ફાઈબરથી બનેલ સિલાઈના દોરા જેવી ચીજોમે રાહત આપવામાં આવી છે. તેમજ આ સિવાય ગુજરાતીઓના પ્રિય ખાખરા અને અનબ્રાન્ડેડ ખાદ્ય ચીજોને પણ ૫ % સ્લેબ હેઠળ લાવવામાં આવ્યું છે.
અને ભાજપની આ લ્હાણી પાછળ ગુજરાતની ચુંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાતીઓને નારાજગી દુર કરવાનો પ્રયાસ છે. તો ગુજરાતના ખેડૂતોને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી રૂપાનીએ માઈક્રો સીંચાઈ ઉપકરણો પર થી જીએસટી હટાવવાની જાહેતર કરી છે. અને હાલ નારાજ ગુજરાતીઓને મનાવવા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ગઈ કાલથી ડોર તો ડોર અભિયાન ચાલુ કર્યું છે. અને લોકોને ઘરે ઘરે મળી મોદીની ઉપલબ્ધીઓની માહિતી આપે છે. ત્યારે હવે આ ગતિવિધિઓ બાદ શું ભાજપ નારાજ ગુજરાતીઓને માનવી શકશે? અને આખરમાં બાજી મારી શકશે??