રીના બ્રહ્મભટ્ટ:
કોંગ્રેસ આ વખતે કોઇપણ ભોગે ગુજરાતની ચુંટણી જીતવા માંગે છે. અને આ માટે એ કઈ પણ કરી છૂટવા તૈયાર છે. એમાં પણ ખાસ તો આ વખતે તેઓ કોઈ પણ ભોગે પાટીદાર મતબેંક કબજે કરવા ઈચ્છે છે. કેમ કે, રાજ્યમાં અન્ય જાતિઓની તુલના એ સૌથી વધુ આબાદી પાટીદારોની છે. અને અગર આ આબાદીનું સમર્થન કોંગ્રેસને મળે તો કોંગ્રેસને સત્તામાં આવતા કોઈ રોકી ના શકે. જો કે, રાજ્યમાં 15 % -એસટી, 6 %એસસી, 37 % ઓબીસી, 15 % સામાન્ય , 6 % કડવા પટેલ, 8 % લેઉવા પટેલ, અને 10 % મુસ્લિમ અને અન્ય જાતિ છે.
અને એમાં પણ જો આ આબાદીમાં થી અલ્પેશ ઠાકોર ઓબીસી સાથે કોંગ્રેસમાં આવે, અને પાટીદારો પણ સામેલ થાય તો ભાજપનું ગણિત ખોરવાઈ જાય. કેમ કે આ જાતિઓનો દબદબો 28 % સીટો પર એસટી, 90 % પર ઓબીસી, 2 % એસસી,
25 % પર સામાન્ય, 21 % સીટો પર પટેલો, 16 % પર મુસ્લિમોનો દબદબો છે.
અને કોંગ્રેસ આ તક કોઇપણ ભોગે ગુમાવવા માંગતી નથી. તો સામે છેડે પાટીદારો છે કે, જે એમ આસાની થી માને એમ નથી એમને EBC તરીકે અનામત ગ્રાહ્ય નથી. અને કોંગ્રેસ ૪૯ % ના નક્કી કરેલા રેશિયામાં અનામત આપી શકે એમ નથી. અને ઓબોસીમાં સમાવેશ કરે તો અન્ય જાતિઓ નારાજ થાય એમ છે. એટલે કોંગ્રેસ માટે પટેલોને પટાવવા શિરદર્દ સાબિત થઇ રહ્યું છે. છેલ્લે બે દિવસ પહેલા જ થયેલ “પાસ” ના કાર્યકરો સાથે ની મીટીંગ માં શું રંધાયું એ કોઈ કહેવા તૈયાર નથી. પરંતુ કોઈ નિર્ણય આવ્યો લાગતો નથી.
અને એને લીધે ભાજપા ગેલમાં આવી ગઈ છે. અને જોર શોરથી માંગણી કરી છે કે, મીટીંગ માં શું નિષ્કર્ષ આવ્યો એ જાહેર કરાય. ખેર હજુ સુધી આવું કઈ થયું નથી પરંતુ , કોંગ્રેસ માટે હવે પાટીદારોને મનાવવા એ નાકનો સવાલ છે. નહીતર મતબેંક સાથે ઈજ્જત પણ જાય. અને એટલે કોંગ્રેસ હજુ પાટીદારો માટે અનામત અંગે શું કરી શકાય એની દ્વિધામાં છે.
તેવામાં આવેલા એક સમાચારો મુજબ, ગુજરાત વિધાનસભામાં પટેલોને લોભાવવા કોંગ્રેસે એક નવો દાવ ખેલ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ પાર્ટીના ટોચના નેતાઓ અને વકીલ કપિલ સિબ્બલ સાથેની ચર્ચા વિચારણા બાદ, કોંગ્રેસે સંવિધાનના અનુચ્છેદ, ૩૧ અને ૩૮ (૨) અન્વયે પાટીદારોને અનામત આપવાનું મન બનાવ્યું છે.
ત્યારે વિશેષપણે ઉલ્લેખનીય છે કે, આ કોટા ઓબીસી સમેત અન્ય જાતિઓ માટે લાગુ ૪૯ % અનામત અંતર્ગત અન્વયે નહિ આવે. ત્યારે આ અંગે કોંગ્રેસના જ એક અંદરના સુત્રના જણાવ્યા અનુસાર અનુચ્છેદ “૩૧” અન્વયે આવું સરંક્ષણ આપવામાં આવ્યું છે. અને તેને અદાલતમાં પણ પડકારી શકાય એમ નથી.
તેમજ આ અનુચ્છેદ મુજબ રાજ્ય સરકાર પોતાની સંવૈધાનિક જવાબદારી પૂરી કરવા રાજ્ય પોતાની રીતે કાનુન બનાવી શકે. તેમજ એ વાત સ્પસ્ટ છે, કે આ આરક્ષણ અન્વયે અમેં ઓબીસી, એસસી, એસટી, માટે આરક્ષિત કરાયેલ ૪૯ % કોટા માં કોઈ બદલાવ કરવાના નથી. એટલે કોઈને નારાજ થવાનો પ્રશ્ન નથી.
પરંતુ ખાસ તો પાટીદારો માટે આ અનુ. હેઠળ અલગ થી ૨૦ % અનામત આપવા માટે અમે અલગથી કાનુન બનાવીશું. તેમજ આ પ્રસ્તાવિત કાયદો હકીકતમાં જાતી આધારિત નહિ બલકે આવશ્યકતા આધરિત હશે. તેમજ આ કાયદા અનુસાર પાટીદારોને પણ ઓબીસીની જેમ જ તમામ લાભો આપવામાં આવશે. ત્યારે આ અંગે ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું છે કે, કપિલ સિબ્બલે આ માટે ઘણા બધા ઓપ્સન આપ્યા છે. જેમાં ૩૧ અને ૩૮ (૨) તથા અન્ય ઘણા વિકલ્પો પણ સામેલ છે. જે અન્વયે રાજ્ય વિધાનસભા એક કાયદો પસાર કરીને રાષ્ટ્રપતિની મંજુરી માટે મોકલી શકે.
અને એકવાર રાષ્ટ્રપતિની મંજુરી મળી જાય એ પછી એને અદાલતમાં પડકારી શકાતો નથી. અને આ નવો ઓપ્સન સંવૈધાનિક સાથે વૈધાનિક પણ છે. તેમજ જાણકાર સુત્રોના જણાવ્યા મુજબ વર્તમાન અનામત વ્યવસ્થા સંવિધાનના અનુ. ૧૫ (૪) અને ૧૬ (૪) અન્વયે આપવામાં આવી છે. ત્યારે આ સામે અનેક સાવલિયા નિશાન છે, કેમ કે, અનામત નો ઉપયોગ પણ કોઈ પણ સરકારી આરક્ષિત જગ્યા માટે થાય છે, ત્યારે નોધવું રહ્યું કે, માની લેવામાં આવે કે ૪૯ % કોટા માં ભાગ નહિ પડે પરંતુ સરકાર આટલી નોકરીઓની જગ્યાઓ અનામત માટે ઉભી ક્યાં થી કરશે? આ સૌથી મોટો સવાલ છે…..એટલે આખરે આ પણ એક લોલીપોપ જ હશે. શાનમાં સમજે એના માટે…