રાજ્યમાં વરસાદ પડ્યા બાદ ઠેર-ઠેર રોડ-રસ્તાઓની સ્થિતિ ખૂબ બિસ્માર બની છે જેને લઇ સરકારને વિરોધપક્ષ સાથો સાથ જનતાના રોષનો પણ શિકાર બનવું પડી રહ્યો છે રોડ- રસ્તાઓની દયનીય હાલતને લઇ ઉઠતી બુમરાણના પગલે રાજ્યસરકારે થોડાક દિવસ અગાઉ મંત્રીઓ પાસેથી હવાલો પણ લઇ લીધો હતો જો કે હજુ પણ નવા મંત્રી આવ્યા છતા રોડ-રસ્તાની સ્થિતિ ઠેરને ઠેર જોવા મળી રહી છે
તેને લઇ કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડિયા લાલચોળ જોવા મળી રહ્યા છે ભેંસાણ-જુનાગઢ હાઇવે સ્થિતિને લઇ આજે ધારાસભ્ય દ્રારા બંધનું એલાન આપવામાં આવ્યુ છે જેમાં વનવિભાગની મનમાનીના કારણે હજુ સુધી કામ ન થતુ હોવાનું કોંગ્રેસ દ્રારા આરોપ લગાવામાં આવ્યુ છે ધારાસભ્ય દ્રારા ભેંસાણ બંધનું એલાન આપવામાં આવ્યુ છે. જેમાં વિશાળ જનરેલી યોજી જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવામાં આવશે જો કે રોડ 41 કરોડના ખર્ચે 1 વર્ષ અગાઉ મંજૂર થઇ ગયો છે પણ હજું સુધી તેની કામગીરી કરવામાં આવી નથી જેને લઇ ધારાસભ્ય આકરાપાણીએ જોવા મળ્યા છે.