ગુજરાતમાં કોરોના ફરી મોઢું ઉંચકી રહ્યું છે. બે મહિના બાદ રાજ્યમાં લગભગ 30થી વધુ કેસ નોંધાયા, અમદાવાદ અને વલસાડમાં સૌથી વધુ કેસ નોંધાયા
- ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં 8,26,244ના રિપોર્ટ પોઝિટિવ આવી ચુક્યા છે.
- અત્યાર સુધીમાં 8,15,943 દર્દી સાજા થઇ ડિસ્ચાર્જ પણ થયા
- રાજ્યમાં હાલ કોરોનાના લગભગ 205 એક્ટિવ કેસ, જેમાંથી 5 કોરોનાદર્દી વેન્ટિલેટર પર છે.
ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસની મહામારીનો લગભગ અંત આવી ગયો છે. પરંતુ છેલ્લા 24 કલાકમાં લગભગ 34 નવા કેસ નોંધાયા છે. જોકે પાછલા 80 દિવસ બાદ એટલે લે આશરે બે મહિના બાદ રાજ્યમાં 30થી વધુ કેસ નોંધાયા છે. એ થોડુંક ચૌંકવનારું છે આપને જણાવી દઈએ કે 27 જુલાઈના દિવસે 30 કેસ નોંધાયા હતા. ગુજરાત રાજ્યમાં કોરોના થી 14 દર્દી સાજા થયા છે. સાથે જ એક પોઝિટિવ ખબર એ પણ છે કે રાજ્યમાં સતત છઠ્ઠા દિવસે કોરોનાથી એકપણ મોત થયું નહિ. રાજ્યના અમદાવાદ શહેર અને વલસાડમાં સૌથી વધુ 7-7 કેસ નોંધાયા છે. અને જ્યારે 5 શહેર અને રાજ્યના 26 જિલ્લામાં એકપણ નવો કેસ નોંધાયો નથી. રાજ્યનો રિક્વરી રેટ ઘટીને 98.75 ટકા થયો છે.
રાજ્યમાં કોરોના દર્દીઓ 215 એક્ટિવ કેસ અને 5 દર્દી વેન્ટિલેટર પર છે.
રાજ્યમાં મૃત્યુઆંક 10 હજાર 86 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 8,15,943 દર્દી ડિસ્ચાર્જ થયા છે. હાલ 215 એક્ટિવ કેસ છે, જેમાંથી 5 દર્દી વેન્ટિલેટર પર છે,