અમદાવાદઃ ગુજરાતમાં નબળો પડતો જાય છે. છેલ્લા 24 કલાકમાં આખા ગુજરાતમાં 2000 કરતા પણ ઓછો કેસ નોધાતા 1871 કેસ થયા છે. જ્યારે રાજ્યમાંથી કુલ 25 દર્દીઓએ કોરોનામાં જીવ ગુમાવ્યો છે. આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં 5146 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આમ રાજ્યનો રિકવરી રેટ 94.40 ટકા જેટલો થયો છે.
ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા આપેલા આંકડા પ્રમાણે રાજ્યમાં રવિવારે સાંજના 5 વાગ્યુ સુધી 1,83,070 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત નવા 1871 કેસ થયા છે. જ્યારે રાજ્યમાંથી કુલ 25 દર્દીઓએ કોરોનામાં જીવ ગુમાવ્યો છે. આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં 5146 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આમ રાજ્યનો રિકવરી રેટ 94.40 ટકા જેટલો થયો છે.
રાજ્યના વિવિધ જિલ્લા અને શહેરોમાં કોરોનાની સ્થિતિની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં 237, વડોદરામાં 216, સુરત શહેરમાં 139, રાજકોટ શહેરમાં 114, વડોદરા જિલ્લામાં 99, પોરબંદરમાં 75, જુનાગઢ, 73, નવસારી 60, સુરત 58, બનાસકાંઠા 57, ભરુચ 52, રાજકોટ 51, પંચમાહલ 49, જામનગર કોર્પોરેશન 47, ભાવનગર 39 કેસ નોંધાયા હતા.
આ ઉપરાંત સાબરકાંટા 39, કચ્છ 36, અરવલ્લી 35, ગીર સોમનાથ 35, જુનાગઢ કોર્પોરેશન 35, મહેસાણા 33, વલસાડ 33, ખેડા 31, આણંદ 27, ભાવનગર કોર્પોરેશન 27, દેવભૂમિ દ્વારકા 26, અમરેલી 25, જામનગર 24, મહીસાગર 24, ગાંધીનગર કોર્પોરેશન 15, બોટાદ 11 કેસ નોંધાયા હતા. આ ઉપરાંત બાકીના જિલ્લાઓમાં 10 કરતા ઓછા કેસ નોંધાયા છે.