અમદાવાદઃ ગુજરાતમાં લગાવેલા કડક પ્રતિબંધોના કારણે ગુજરાતમાં કોરોનાનું જોર ધીમું પડ્યુ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 2230 કેસ નોંધાયા છે. જેની સામે 7109 દર્દીઓ સાજા થયા છે. કોરોનાથી સાજા થનાર દર્દીઓની સંખ્યામાં સતત વધારો યથાવત્ છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 29 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 9790 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 93.98 ટકા છે. અત્યાર સુધીમાં 1,67,11,233 વ્યક્તિઓને કોરોના વેક્સીનઆપવામાં આવી છે. આજે કુલ 1,97,993 વ્યક્તિઓનું રસીકરણ થયું છે.
રાજ્યમાં નવા કોરોના વાયરસ કેસમાં અમદાવાદમાં 293 સુરતમાં 259, વડોદરામાં 433, રાજકોટમાં 184, જૂનાગઢમાં 120, જામનગરમાં 88, ભરુચમાં 72, પોરબંદરમાં 63, પંચમહાલમાં 59, નવસારીમાં 56, બનાસકાંઠામાં 53, ખેડામાં 47, ગીર સોમનાથમાં 45, આણંદ, કચ્ચમાં 44-44, અરવલ્લીમાં 41, ગાંધીનગરમાં 40, મહીસાગરમાં 39 સહિત કુલ 2230 કેસ નોંધાયા છે.
રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના કારણે 29 દર્દીના મોત થયા છે. અમદાવાદમાં 7, સુરતમાં 5, રાજકોટમાં 2, વડોદરામાં 4 દર્દીઓના મોત થયા છે. બીજી તરફ અમદાવાદમાં 2125 સુરતમાં 554, વડોદરામાં 694, રાજકોટમાં 472, જામનગરમાં 151, ભરુચમાં 248, આણંદમાં 231, જૂનાગઢમાં 338, મહીસાગરમાં 206, ભાવનગરમાં 195, સાબરકાંઠામાં 187, અમરેલીમાં 176, કચ્છમાં 172, ખેડામાં 146, મહેસાણામાં 139 સહિત કુલ 7109 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે.