ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના વાયરસનું ધીમે ધીમે જોર ઘટતું જાય છે ત્યારે આજે સોમવારે સાંજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1681 કેસ નોંધાયા છે. જેની સામે 4721 દર્દીઓ સાજા થયા છે. કોરોનાથી સાજા થનાર દર્દીઓની સંખ્યામાં સતત વધારો યથાવત્ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 18 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 9833 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 94.79 ટકા છે. અત્યાર સુધીમાં 1,70,94,620 વ્યક્તિઓને કોરોના વેક્સીન આપવામાં આવી છે. આજે કુલ 2,00,317 વ્યક્તિઓનું રસીકરણ થયું છે.
રાજ્યમાં નવા કોરોના વાયરસ કેસમાં અમદાવાદમાં 270 સુરતમાં 217, વડોદરામાં 327, રાજકોટમાં 137, જૂનાગઢમાં 88, પોરબંદરમાં 71, ગીર સોમનાથમાં 45, નવસારીમાં 44, જામનગરમાં 65, ભરુચમાં 41, આણંદમાં 36, પંચમહાલમાં 34, ખેડામાં 33, વલસાડમાં 32, બનાસકાંઠા, કચ્છમાં 30-30 સહિત કુલ 1681 કેસ નોંધાયા છે.
રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના કારણે 18 દર્દીઓના મોત થયા છે. અમદાવાદમાં 4, સુરતમાં 2, વડોદરામાં 3 દર્દીઓના મોત થયા છે. બીજી તરફ અમદાવાદમાં 948 સુરતમાં 381, વડોદરામાં 548, રાજકોટમાં 335, જૂનાગઢમાં 272, મહીસાગરમાં 220, ભરુચમાં 203, અમરેલીમાં 179, કચ્છમાં 178, મહેસાણામાં 142, દેવભૂમિ દ્વારકા-પંચમહાલમાં 110-110 સહિત કુલ 4721 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે.
રાજ્યમાં અત્યારે કુલ 32345 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 496 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 31849 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 766991 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.